Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા ‘અનસંગ એવરીડે હીરોસ એવોર્ડ્સ’ની જાહેરાત, જમીન સ્તરે નિઃસ્વાર્થ સેવા આપનારાઓનું સન્માન

On: March 15, 2026 12:36 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ગત ૪૫ વર્ષોથી માનવતાની સેવા એ આર્ટ ઓફ લિવિંગની ઓળખ રહી છે. નક્સલ પ્રભાવિત ગામોમાં પ્રથમ શાળા શરૂ કરવાની પહેલ હોય, દુષ્કાળથી પીડિત વિસ્તારોમાં નદીઓનું પુનર્જીવન કરવાનો સંકલ્પ હોય, અથવા તણાવ, આઘાત અને કુદરતી આપત્તિઓથી પીડિત સમુદાયોને ફરી સંભાળવાની દિશા બતાવવાનો પ્રયાસ હોય — સંસ્થાના આ તમામ કાર્યોને આગળ વધારવામાં સામાન્ય લોકોની અસાધારણ પ્રતિબદ્ધતા અને સેવા ભાવનાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

માનવતાની સેવા ના આ ૪૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આર્ટ ઓફ લિવિંગ સંસ્થાએ ‘અનસંગ એવરીડે હીરોસ એવોર્ડ્સ’ નામની રાષ્ટ્રવ્યાપી પહેલની જાહેરાત કરી છે. આ પહેલનો હેતુ એવા વ્યક્તિઓને સન્માનિત કરવાનો છે જેમની નિઃસ્વાર્થ સેવા અને સમર્પણ દેશભરના સમુદાયોને સશક્ત બનાવી રહ્યા છે.

ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીની પ્રેરણાથી શરૂ કરવામાં આવેલા આ પુરસ્કારોનો હેતુ એવા લોકોના કાર્યને પ્રકાશમાં લાવવાનો છે, જેમનું યોગદાન ઘણીવાર ચર્ચામાં આવતું નથી, પરંતુ જેમના પ્રયત્નોએ પેઢીઓ સુધી લોકોના જીવન પર સકારાત્મક અસર પેદા કરી છે.

આ પુરસ્કારના પ્રથમ સંસ્કરણમાં યુવા નેતૃત્વ, રમતગમત ક્ષેત્ર અને ઉદ્યોગ/વ્યવસાય દ્વારા પરોપકાર અને સેવાભાવ (philanthropy) ક્ષેત્રમાં કાર્યરત એવા વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવશે, જે સત્યનિષ્ઠા, નિઃસ્વાર્થ સેવા અને શ્રેષ્ઠતાના મૂલ્યો દ્વારા સમાજને પ્રેરણા આપી રહ્યા છે.

આ પહેલનો હેતુ સમાજમાં સકારાત્મકતા, સેવા અને માનવીય મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે વ્યાપક જનઆંદોલનને પ્રેરિત કરવાનો છે. સંસ્થાનો વિશ્વાસ છે કે જે કોઈ વ્યક્તિ પોતાના સમુદાયની સેવા કરે છે, તે ખરેખર એવો નાયક છે જેને સન્માન મળવું જોઈએ.

આ એવોર્ડ માટે નીચે આપેલી લિંક દ્વારા આપ સમાજમાં જે લોકો આ રીતે નિઃસ્વાર્થ ભાવે સેવા આપે છે તેમને નામાંકિત (નોમિનેટ) કરી શકો છો, તેમજ આપ પોતાને પણ સેલ્ફ નોમિનેટ કરી શકો છો, અને આ પ્રક્રિયા સંપૂર્ણપણે નિઃશુલ્ક છે.

https://awards.artofliving.org/india/nominate

૧૪ એપ્રિલથી ૩૦ એપ્રિલ ૨૦૨૬ દરમિયાન દેશભરના સમુદાયો એકત્ર થઈ આવા પરિવર્તનકારકોનું વિવિધ જિલ્લાઓ માં સન્માન કરશે. આ એવોર્ડ્સ સાથે સાથે આર્ટ ઓફ લિવિંગના વિવિધ ચેપ્ટર્સ દેશભરમાં અનેક સેવા પ્રવૃત્તિઓનું આયોજન પણ કરશે. તેમાં વૃક્ષારોપણ અભિયાન, મહોલ્લા સ્વચ્છતા અભિયાન, નિઃશુલ્ક આરોગ્ય શિબિર (ખાસ કરીને મહિલાઓના આરોગ્ય અને પોષણ પર કેન્દ્રિત), તેમજ નવચેતના અને બાળચેતના જેવી વર્કશોપ્સનો સમાવેશ થશે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!