Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

સંસ્કારધન એ શ્રેષ્ઠ કક્ષાનું ધન છે. સંસ્કારોની હોળી થશે તો જીવન ઉદ્યાનને બદલે ઉકરડો બની જશે.;આચાર્ય શ્રી પદ્મદર્શનસૂરિજી મહારાજ

On: March 6, 2026 2:23 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વાપી ટાઉન નહેરુ સ્ટ્રીટ ખાતે આવેલ શ્રી લબ્ધિસૂરિજી જ્ઞાનમંદિરમાં જૈનાચાર્ય પૂ. પદ્મદર્શનસૂરિજી મહારાજ અને પૂ. મુનિશ્રી પ્રેમદર્શનજી મહારાજની પાવન નિશ્રામાં ધર્મસભાનું આયોજન થયું હતું. આ રૂડા અવસરે પૂ. આચાર્ય શ્રી પદ્મદર્શનસૂરિજી મહારાજે જણાવ્યું હતું કે, જ્યાં જવાનું હોય તેની આપણે તૈયારી કરતા હોઈએ છીએ એ જ રીતે અહીંથી જ્યાં જન્મ લેવાનો છે ત્યાંની પણ તૈયારી કરવી જોઈએ. વર્તમાનનો જ વિચાર કરવાનો નથી, ભવિષ્યની પણ વિચારણા કરવી જોઈએ. પુણ્યનો બગાડ ન કરવો જોઈએ અને તમારા પ્રભાવનો પણ બગાડ ન કરવો જોઈએ. વર્તમાનને સેટ કરવા પુણ્યથી મળેલી સંપત્તિનો બેફામ ઉપયોગ કરવાથી ભવિષ્ય ધૂંધળું બની જશે. તમારા સંતાનો અને પરિવાર સંબંધી ભવિષ્યની વિચારણા કરવી જરૂરી છે. અત્યારે તો સંસ્કાર કરતાં પણ સંપત્તિની વધુ ચિંતા થઈ રહી છે. સંસ્કારધન એ શ્રેષ્ઠ કક્ષાનું ધન છે. સંસ્કારોની હોળી થશે તો જીવન ઉદ્યાનને બદલે ઉકરડો બની જશે.

જીવનને નંદનવન બનાવવા માટે જે કાર્ય તમે કરી રહ્યા છો તેમાં પુરા રસ સાથે કામ કરો. દરેક વ્યક્તિએ પોતાની જે ડ્યુટી હોય તે બરાબર બજાવવી જોઈએ. સરકારી ક્ષેત્ર હોય કે સામાજિક ક્ષેત્ર હોય. કાર્યમાં આળસ ન કરો અને વેઠ ન ઉતારો. ધર્મનું અને ધંધાનું સ્થાન જે છે તેને બરાબર વળગી રહો. પુરા ઉત્સાહ અને ઉમંગ સાથે કામ કરો. કામચોરી એ હિન્દુ રાષ્ટ્રની પ્રજાની મોટી નબળાઈ છે. અન્ય દેશોમાં ખંતપૂર્વક અને પૂર્ણ જવાબદારી જે કામ કર્મચારી વર્ગ કરે છે તે આપણા દેશમાં જોવા મળતી નથી. ધર્મ કે ધનના ક્ષેત્રમાં પુરો રસ બતાવવો જોઈએ. જીવનના કોઈ પણ ક્ષેત્રે સફળ થવું હોય ત્યાં નેગેટિવીટીનો ત્યાગ કરો. *સફળતાની સીડીએ ચડવા માટે હકારાત્મક અભિગમ અપનાવો. નકારાત્મક અભિગમ જીવનને નિષ્ફળ બનાવે છે. તમારી નબળાઈઓને શોધીને આગળ વધવાનો પ્રયત્ન કરવો જોઈએ.

સમર્પિત વ્યક્તિ જ જીવનમાં સફળ થાય છે. અર્જુન શ્રીકૃષ્ણને સંપૂર્ણ સમર્પિત હતા માટે જ કુરુક્ષેત્રના મેદાનમાં વિજય થયો હતો. નાના માણસોએ વડીલોની મર્યાદા જાળવવી જોઈએ. સાસુ-વહુ કે બાપ-દીકરા વચ્ચે સમર્પણ હોય તો સંઘર્ષ કે સંક્લેશને કોઈ અવકાશ નથી. જ્યાં સમર્પણ છે ત્યાં સિદ્ધિ છે. શંબૂક પોતાની માને સમર્પિત રહ્યો નહીં માટે સાધના નિષ્ફળ ગઈ અને મૃત્યુ થયું.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!