વિશ્વેશ્વર મહાદેવ મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બનાવેલ શ્રી રામચંદ્રજી પરિવાર ની પ્રતિષ્ઠા નિમિતે ૧૫ લાખ થી વધુની રકમ નું દાન આપવામાં આવ્યું હતું. તેમજ ભૂતકાળ માં હરિયા હોસ્પિટલ,જનસેવા હોસ્પિટલ,અનાવિલ કેળવણી મંડળ. અનાવિલ મેડિકલ ફંડ,વલવાડા સ્મશાન ગૃહ, દેગામ અને ઉમરસાડી ખાતે સ્કૂલ માં તેમજ અન્ય અનેક સંસ્થામાં માતબર રકમ નો સિંહ ફાળો

ઉમરગામ તાલુકા ના વલવાડા ગામ ના અનાવિલ દાતા શ્રી પ્રદીપભાઈ મોહન ભાઈ દેસાઈ અને શ્રીમતી રેખા બેન પ્રદીપ ભાઈ દેસાઈ નું અનાવિલ યુવા મિત્ર મંડળ ,વલવાડા દ્વારા આજરોજ સન્માન કરવામાં આવ્યું હતું, એમણે તાજેતરમા વિશ્વેશ્વર મહાદેવ મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બનાવેલ શ્રી રામચંદ્રજી પરિવાર ની પ્રતિષ્ઠા નિમિતે ૧૫ લાખ થી વધુની રકમ નું દાન આપવામાં આવ્યું હતું. તેમજ ભૂતકાળ માં હરિયા હોસ્પિટલ,જનસેવા હોસ્પિટલ,અનાવિલ કેળવણી મંડળ. અનાવિલ મેડિકલ ફંડ,વલવાડા સ્મશાન ગૃહ, દેગામ અને ઉમરસાડી ખાતે સ્કૂલ માં તેમજ અન્ય અનેક સંસ્થામાં માતબર રકમ નો સિંહ ફાળો આપવામાં આવેલ છે…વલવાડા ગામ ના અન્ય અનાવિલ શ્રી ધીરુભાઈ ભીખુભાઈ દેસાઈ અને શ્રી નીતિનભાઈ નાગરજી ભાઈ મહેતા એ પણ અનાવિલ સમાજ અને અન્ય સમાજ માં ભૂતકાળમાં દાન આપેલ છે. જે વલવાડા ગામ માટે અને અનાવિલ સમાજ માટે ગૌરવ ની વાત છે. એવું અનાવિલ યુવા મિત્ર મંડળ વલવાડા તરફ થી જણવા મળ્યું છે.





