ધરમપુર વનરાજ કોલેજના 50 થી વધુ વિધાર્થી સ્કોલરશિપ મુદ્દે મામલતદાર કચેરી એ ધરાણા પર

On: May 1, 2023 9:45 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

*1300 વિદ્યાર્થીને નથી મળી છેલ્લા કેટલાક સમય થી સ્કોલરશિપ

*અનેક સ્થળે રજુઆત કરી થાકેલા વિધાર્થી ધરાણા પર ઉતર્યા

ધરમપુર મામલતદાર કચેરી સામે 50થી વધુ વનરાજ કોલેજના વિદ્યાર્થીઓ આજે એક દિવસે ધરણા પ્રદર્શન માટે ઉતર્યા હતા વહેલી સવારે 11 વાગ્યે કચેરીની સામે વિદ્યાર્થીઓ એકત્ર થઈ તેમની શિષ્યવૃતિ ન મળવાને લઈને ધરણા પ્રદર્શન પર બેસી ગયા હતા જેને લઈને પોલીસ પણ દોડતી થઈ હતી

ધરમપુર ખાતે આવેલી વનરાજ કોલેજના 1300 થી વધુ વિદ્યાર્થીઓને તેમનો સમગ્ર વર્ષ પૂર્ણ થઈ ગયું હોવા છતાં પણ હજુ સુધી શિષ્યવૃતિ તેમના ખાતામાં જમા થતા અનેક વિદ્યાર્થીઓએ અગાઉ પણ લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી તો પાંચ દિવસ પૂર્વે મામલતદાર કચેરી અને પ્રાંત કચેરી ખાતે પણ આવેદનપત્ર આપી તેમના ખાતામાં શિષ્યવૃતિ જમા થાય તે માટેની માંગ કરી અને જો જમા ન થાય તો ધરણાં કરવાની ચીમકી ઉચ્ચારી હતી પરંતુ પાંચ દિવસ પૂર્ણ થવા છતાં કોઈ કાર્યવાહી ન થતા આજે 50થી વધુ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ એકત્ર થઈ મામલતદાર કચેરીની સામે બેસી ગયા હતા જોકે બાદમાં ધરમપુરના મામલતદાર શ્રી ફ્રાન્સિસ વસાવા દ્વારા વિદ્યાર્થીઓને હકીકતથી વાકેફ કરવામાં આવ્યા હતા અને જણાવ્યું હતું કે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા શિષ્યવૃત્તિની રકમ જમા કરાવવામાં આવે છે અને સમગ્ર ગુજરાત ભરમાં હાલમાં કેટલાક સ્થળોએ શિષ્યવૃત્તિની રકમ જમા થઈ નથી જેના કારણે વિદ્યાર્થીઓને આ મુશ્કેલી ભોગવી પડી રહી છે ત્યારે તેમના દ્વારા આ બાબતે ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી. જે બાદ સમગ્ર મામલો થાળે પડ્યો હતો

આદિજાતિ વિકાસ વિભાગમાં અનેક વિકાસલક્ષી કામગીરી માટે કરોડ રૂપિયાની ગ્રાન્ટ આવતી હોય છે પરંતુ જ્યારે વિદ્યાર્થીઓની વાત આવે ત્યારે શિષ્યવૃત્તિની રકમ જમા કરાવવા માટે કેમ અખાડા થઈ રહ્યા છે તે સમગ્ર બાબત તપાસનો વિષય છે ત્યારે અનેક વિદ્યાર્થીઓ હજુ પણ શિષ્યવૃતિથી વંચિત બની રહ્યા છે

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

Ajay’s Cafe ફૂડથી આગળ વધીને ચેસ દ્વારા પણ ફેલાવી રહ્યું છે ‘હેપ્પી વાલી ફીલિંગ’

કપરાડાની પૂજ્ય મોટા હાઈસ્કૂલ(માની)ના તેજસ્વી વિદ્યાર્થીઓએ કર્યો હવાઈ પ્રવાસ, દ્વારકાધીશના દર્શનનો મળ્યો લ્હાવો

ક્યાં એક તરફ મોંઘી દાટ મર્સીડીઝ કાર માં નીકળતી વર યાત્રા ને ક્યાં સંસ્કૃતિ ને બચાવવાં માટે નીકળતી બળદ ગાડાં માં નીકળેલી જાન.નો ઠાઠ..

પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત 19 જૂને રાષ્ટ્રીય કાર્યક્રમ, વાપીમાં રાજુ શ્રોફ ઓડિટોરિયમ ખાતે યોજાશે વિશેષ કાર્યક્રમ

ધરમપુર વિલ્સન હિલ ખાતે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ અને આદિજાતિ વિકાસ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે વૃક્ષારોપણ કરાયું

ધરમપુર આસપાસની નદીઓમાં બેફામ રેતી ખનન સામે કાર્યવાહી, માત્ર ચાર ટ્રક જપ્ત થતા અનેક સવાલો

error: Content is protected !!