[ad_1]

જામનગર,તા.5 માર્ચ, 2022
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંચાલિત લક્ષ્મણરાવ ઇનામદાર સ્મૃતિ સમિતિ દ્વારા જામનગરમાં નીલ કમલ સોસાયટી પાછળ આવેલી વાણંદ જ્ઞાતિ વાડીમાં આવતીકાલે રવિવારે સવારે ૯.૩૦થી બપોરે ૧ વાગ્યા સુધી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સર્વ રોગ નિદાન કેમ્પ માં સ્ત્રી રોગ, બાળ રોગ, ચામડીના રોગો, આંખ તથા દાંતના રોગનું નિદાન નિષ્ણાત ડોકટરો દ્વારા કરવામાં આવશે, અને પ્રાથમિક સારવારમાં દવાઓ તથા માર્ગદર્શન આપવામાં આવશે.
આ કેમ્પમાં જામનગરના ડૉ. આર ટી જાડેજા ( આંખ રોગ નિષ્ણાત), ડો. સુરેશ ઠાકર ( બાળ રોગ ના નિષ્ણાત), ડો. ગાયત્રીબેન ઠાકર ( સ્ત્રીરોગ નિષ્ણાત), ડો. રાજેન્દ્ર ઠાકર ( ચામડી રોગ નિષ્ણાત), ડો. જયદીપ ઠક્કર ( જનરલ ફિઝિશ્યન) સેવા આપશે.
લક્ષ્મણરાવ ઇનામદાર સ્મૃતિ સમિતિના પ્રમુખ મનોજભાઈ અડાલજા દ્વારા જામનગરની જનતાને આ કેમ્પનો લાભ લેવા તેમજ રજીસ્ટ્રેશન કરાવવા માટે દિનેશભાઈ ચાંદેગ્રાનો સંપર્ક સાધવા માટે અનુરોધ કરાયો છે.
[ad_2]
Source link






