[ad_1]

– સમગ્ર જિલ્લામાં કોરોનાના કેસનો આંકડો શુન્ય
જામનગર તા,4 માર્ચ, 2022
જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલે શુક્રવારનો દિવસ ગુડ ફ્રાયડે સાબિત થયો છે. અને કોરોનાના કેસનો આંકડો ફરીથી શૂન્યનો થયો છે. જામનગર શહેરમાં પરમદીને ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા હતા. પરંતુ ગઇકાલે શુક્રવારે કોરોનાના એક પણ કેસ નોંધાયો ના હોવાથી કોરોનાનો આકડો ફરીથી શૂન્યનો થયો છે. તે જ રીતે જામનગર ગ્રામ્ય પણ કોઈ પોઝિટિવ કેસ નોંધાયો ન હતો. તેથી સમગ્ર જિલ્લામાં કોરોનાનો આંકડો શુન્યનો રહ્યો છે.
જયારે જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલને તાળા લગાવાયેલા છે.જેથી પણ રાહત છે.આ ઉપરાંત મ્યુકોર્માઇકોસિસની બીમારીના બે દર્દી અલગ-અલગ વોર્ડમાં સારવાર હેઠળ છે. એક દર્દી ઇ.એન્ડ.ટી. વિભાગમાં સારવાર મેળવે છે, જ્યારે એક વયોવૃદ્ધ મહિલાની મેડિસિન વિભાગમાં સારવાર ચાલી રહી છે. જેની હાલત નાજુક ગણાવાઈ રહી છે.
[ad_2]
Source link






