ચોટીલામાં ધોળાદિવસે ફાયરિંગમાં ઝીંઝુડાના યુવાનનું મોત નિપજ્યું

On: February 28, 2022 11:23 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

સુરેન્દ્રનગર : ચોટીલામાં થાન રોડ ઉપર ભરબજારે ધોળા દિવસે ઘાતક હથિયારોથી હુમલો અને ફાયરિંગની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. હુમલામાં ઝીંઝુડાના કાઠી યુવાનનું મોત નિપજતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. હત્યાના બનાવથી સમગ્ર વિસ્તારમાં સોંપો પડી ગયો હતો. ચોટીલા – થાન રોડ ઉપર આવેલા વાસુકી મંદિર પાસે ધોળા દિવસે ભરબજારે ફાયરિંગ કરીને અને ઘાતક હથિયારોથી હુમલાની ઘટના બની હતી. ચારથી પાંચ શખ્સોએ ઝીંઝુડા ગામનાં ધર્મેન્દ્રભાઈ ખાચર નામના કાઠી યુવાન ઉપર ફાયરિંગ કરી ઘાતક હથિયારોથી હુમલો કરતા ગંભીર ઈજાથી ધર્મેન્દ્રભાઈનું મોત નિપજયુ હતુ. આ ઘટનાથી બજારમાં સોપો પડી ગયો હતો. પ્રાથમિક તપાસમાં જુની અંગત અદાવતમાં આ હુમલો થયો હોવાનું જાણવા મળે છે. બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતકની લાશને રેફરલ હોસ્પીટલ મોકલી હુમલાના સી.સી.ટી.વી ફુટેજના આધારે તપાસ શરૂ કરી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. 

હુમલાખોરોને ઝડપી લેવા સઘન તપાસ શરૂ કરાઈ છે. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

Ajay’s Cafe ફૂડથી આગળ વધીને ચેસ દ્વારા પણ ફેલાવી રહ્યું છે ‘હેપ્પી વાલી ફીલિંગ’

કપરાડાની પૂજ્ય મોટા હાઈસ્કૂલ(માની)ના તેજસ્વી વિદ્યાર્થીઓએ કર્યો હવાઈ પ્રવાસ, દ્વારકાધીશના દર્શનનો મળ્યો લ્હાવો

ક્યાં એક તરફ મોંઘી દાટ મર્સીડીઝ કાર માં નીકળતી વર યાત્રા ને ક્યાં સંસ્કૃતિ ને બચાવવાં માટે નીકળતી બળદ ગાડાં માં નીકળેલી જાન.નો ઠાઠ..

પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત 19 જૂને રાષ્ટ્રીય કાર્યક્રમ, વાપીમાં રાજુ શ્રોફ ઓડિટોરિયમ ખાતે યોજાશે વિશેષ કાર્યક્રમ

ધરમપુર વિલ્સન હિલ ખાતે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ અને આદિજાતિ વિકાસ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે વૃક્ષારોપણ કરાયું

ધરમપુર આસપાસની નદીઓમાં બેફામ રેતી ખનન સામે કાર્યવાહી, માત્ર ચાર ટ્રક જપ્ત થતા અનેક સવાલો

error: Content is protected !!