વલસાડ જિલ્લા પોલીસ વડા દર સપ્તાહના ચોક્કસ દિવસે પોલીસ મથકો પર પ્રજાના પ્રશ્નો સાંભળશે

On: July 28, 2023 3:22 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

પોલીસ અધિક્ષકશ્રી જિલ્લા ૧૩ પોલીસ સ્ટેશનોની વિઝિટ લઈ લોકોની રજૂઆતોનો સત્વરે ઉકેલ લાવશે

જિલ્લા પોલીસ વડા સપ્તાહના નિર્ધારિત દિવસો દરમિયાન જિલ્લાના વિવિધ પોલીસ મથકો પર રૂબરૂ જઈને જિલ્લાના નાગરિકોની રજૂઆતો સાંભળશે. 

જે મુજબ વલસાડ જિલ્લા પોલીસ વડા દર અઠવાડિયાના સોમવાર અને શુક્રવારે સવારે ૧૧ થી સાંજે ૬ દરમિયાન પ્રજાજનોની ફરિયાદ તેમજ રજૂઆતો રૂબરૂ સાંભળશે. આ સિવાય બાકીના દિવસોમાં જિલ્લાના ૧૩ પોલીસ મથકોમાં જઈને લોકોની રૂબરૂ રજૂઆતો સાંભળશે. જે મુજબ પ્રથમ મંગળવારે વલસાડ સિટી પોલીસ મથકે સવારે ૧૧ કલાકે અને વલસાડ રૂરલ પોલીસ મથકે બપોરે ૧ કલાકે, બીજા મંગળવારે પારડી પોલીસ સ્ટેશનમાં બપોરે ૧૨ કલાકે, પ્રથમ ગુરૂવારે ડુંગરી પોલીસ મથકે સવારે ૧૧-૩૦ કલાકે, બીજા ગુરૂવારે ધરમપુર પોલીસ સ્ટેશનમાં બપોરે ૧૨-૩૦ કલાકે, ત્રીજા મંગળવારે કપરાડા પોલીસ મથકે બપોરે ૧૨ કલાકે અને નાનાપોંઢા પોલીસ મથકે બપોરે ૧ કલાકે, ચોથા બુધવારે વાપી ટાઉન પોલીસ મથકે સવારે ૧૧-૩૦ કલાકે, ચોથા શુક્રવારે વાપી ઉદ્યોગનગર પોલીસ મથકે બપોરે ૧૨ કલાકે, ડુંગરા પોલીસ મથકે બપોરે ૧ કલાકે, ત્રીજા ગુરૂવારે ભીલાડ પોલીસ મથકે બપોરે ૧૨-૩૦ કલાકે, ચોથા મંગળવારે ઉમરગામ પોલીસ મથકે સવારે ૧૧ કલાકે અને મરીન પોલીસ મથકે બપોરે ૧૨ કલાકે જિલ્લા પોલીસ વડા નાગરિકોની રજૂઆતો રૂબરૂ સાંભળશે.  

વલસાડ જિલ્લા પોલીસ વડાની આ કામગીરીથી પ્રજાના પ્રશ્નોનો સત્વરે નિકાલ થશે. પોલીસના આ હકારાત્મ અભિગમથી પ્રજા અને પોલીસ વચ્ચેનું અંતર પણ ઘટશે. 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!