શૈલેષ પટેલની હત્યા બાદ પોલીસ વધુ સતર્ક બની છે અને ફરી આ વિસ્તારમાં અન્ય કોઈ મોટી ઘટના ના બને તેવા હેતુ થી ગ્રામ પંચાયત ના સહયોગ દ્વારા 30 જેટલા સીસીટીવી હાઈ ડેફીનેશન કેમેરા ગોઠવવામાં આવ્યા છે

રાતા રામેશ્વર મંદિરે બનેલી હત્યાના બનાવ બાદ વલસાડ પોલીસ દ્વારા ફરી આવી કોઈ ઘટના ન બને તે માટે ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયતના સહયોગ દ્વારા રાતા અને કોચરવા બન્ને ગ્રામ પંચાયત માંથી આવતા જતા મુખ્ય માર્ગો અને ત્રણ રસ્તા ચાર રસ્તા ઉપર સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા છે એટલે કે હવે માર્ગો ઉપર થતા અકસ્માતો તેમજ ગુનાહિત કામ કરનારા તત્વો ને નાથી શકાશે
જિલ્લા પંચાયત સભ્ય મિતેષ પટેલના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક સમય થી ગ્રામ પંચાયત માં સીસીટીવી કેમેરા સિસ્ટમ ગોઠવા માટે મંજૂરી મળી ચુકી હતી પરંતુ એક તરફ બુલેટ ટ્રેન નું કામ પ્રગતિ માં છે ત્યારે તે તમામ બાબતો ને પણ ધ્યાને લેવામાં આવી હતી તાજેતર માં કોચરવા અને રાતા ગ્રામ પંચાયત ની આસપાસના મુખ્ય માર્ગો ઉપર આવેલ વિવિધ પોઇન્ટ ઉપર કુલ 30 જેટલા હાઈ ડેફીનેશન કેમેરા ફિટ કરી દેવામાં આવ્યા છે એટલે હવે કોઈ પણ ઘટના કે વ્યક્તિ ઉપર ત્રીજી આંખ પહેરો ભરશે..





