Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

વલસાડ તાલુકાની દુલસાડ મુખ્ય પ્રા. શાળામાં મહિલા આચાર્યાએ જાતિવિષયક ટિપ્પણી કરતા વિવાદ

On: June 14, 2023 12:57 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

તમે આદિવાસી શુ કરવાના ભણીને ?તમે ભણશો તો અમારા ઉજળિયાત વર્ગને ત્યાં કામ કોણ કરશે ? જેવા જાતિગત વાક્યો વિદ્યાર્થીઓને ઉચ્ચારતા આજે ગ્રામજનોનો ભારે હોબાળો ,શિક્ષણ અધિકારી અને ટીપીઇઓ પણ સ્થળ ઉપર ધસી આવ્યા આચર્યા ને ફરજ મુક્ત કરવા ની માંગ સાથે વાલી ઓ શાળા માંથી બાળકોને પરત ઘરે લઈ ગયા જ્યાં સુધી વાલીઓની માંગ પૂર્ણ ન થાય ત્યાં સુધી બાળકોને સ્કૂલે મોકલવામાં આવશે નહિ..

વલસાડ તાલુકાના દુલસાડ ખાતે આવેલ મુખ્ય શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતી મહિલા આચાર્ય રેખા બેન બળવંત સિંહ સોલંકી દ્વારા અદિવાસી સમાજમાં બાળકો માટે જાતિ ગત ટિપ્પણી કરતા સમગ્ર બાબતની જાણ વાલીઓ ને કરતા આજે ગામના વાલીઓ ઉશ્કેરાઈ જઈ હોબાળો મચાવ્યો હતો એટલું જ નહીં આચાર્ય ના મનસ્વી વહીવટ મુજબ એસ એમ સી સભ્યો ના નામો પણ બદલી આખી કમિટી કોઈને પણ જાણકારી આપ્યા વિના બદલી નાખી હતી સમગ્ર બાબતે આજે ધોરણ 1 થી 8 ના વાલીઓ ભેગા મળી સ્કૂલ ઉપર હોબાળો કરતા આખરે શિક્ષણ અધિકારી તેમજ ટી પી ઇ ઓ સ્થળ ઉપર ધસી આવ્યા હતા અને આચાર્ય ને સવાલો કરતા આચાર્ય ચુપકીદી સેવી હતી જોકે વાલીઓ એ આક્ષેપ કર્યો કે આચાર્ય એ બાળકો ને એવા શબ્દો ઉચ્ચાર્યા હતા કે તમે આદિવાસી ભણી ને શુ કરવાના?તમે ભણસો તો અમારા ઉજળિયાત ને ત્યાં મજૂરી કામ કોણ કરશે ? ઉપરોક્ત એક જાતિ વિષયક વિવાદિત ટિપ્પણી કરતા વાલીઓ વિફર્યા હતા અને શિક્ષણ આધિકારી ને લેખિત માં ફરિયાદ કરી જેમાં ગામ ના 30 વધુ વાલીઓ એ સહી કરી જણાવ્યું છે કે આચાર્ય ને ફરજ મોકૂફ કરવા માંગ કરી છે

આચર્યા બાબતે ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી એ વાલીઓની ફરિયાદ આવી છે જે બાબતે જરૂરી તપાસ અને નિવેદન લેવામાં આવશે જો કોઈ દોષ જણાય આવે તો કાર્યવાહી કરવામાં આવશે નું ઇન્ચાર્જ શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું

વાલીઓ આજે ઉશ્કેરાઈ જઈ હોબાળો મચાવ્યો હતો અને પોતાના બાળકોને પણ જ્યાં સુધી ટિપ્પણી કરનાર આચાર્ય ની બદલી નહિ થાય ત્યાં સુધી સ્કૂલે નહિ મોકલે એવો મક્કમ મત રજૂ કર્યો હતો

એસ એમ સી કમિટી જે આચાર્ય પાસે દર 6 માસે હિસાબો મંગતા હતા એવા તમામ ને કોઈ પણ ઠરાવ કે એજન્ડા વિના એસ એમ સી ની આખી કમિટી બદલી નાખી મનસ્વી પણે પોતાના વ્યક્તિ ને કમિટી લઈ લીધા હતા જે આજે અધિકારીઓ આવ્યા બાદ સમગ્ર હકીકત બહાર આવતા અધિકારીએ આચાર્ય નો ઉધડો લીધો હતો

હાલ તો સમગ્ર બાબત ને લઈ આદિવાસી સમાજ માં ટિપ્પણી ને લઈ ને ભારે રોષ જોવા મળી રહ્યો છે

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!