ખખડધજ બસો દોડાવતા મુસાફરોને જીવનું જોખમ

On: January 4, 2023 4:47 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
તૂટેલા ફ્લોરિંગ સાથે બસ દોડી

વલસાડ ધરમપુર ઇન્ટરસિટી બસ જે છેલ્લા કેટલાક સમય થી ખખડધજ હાલત માં છે છતાં દોડાવવા માં આવી રહી છે મુસાફરો બેસે અને પગ મૂકે એ ફ્લોરિંગ નો ભાગ સાવ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યો છે વલસાડથી ધરમપુર જવું હોય કે ધરમપુર થી વલસાડ આ તમામ જગ્યા ઉપર જવા માટે મુસાફરો ઇન્ટરસિટી બસ નો ઉપયોગ કરે છે અને આ તમામ બસો ખખડધજ હાલતમાં હોય તેમ છતાં પણ આવી બસોમાં જીવના જોખમે મુસાફરો મુસાફરી કરી રહ્યા છે આ સમગ્ર હકીકત ત્યારે બહાર આવી છે જ્યારે ધરમપુરના અગ્રણી સુરેશ પટેલ સ્વયમ બસમાં મુસાફરી કરી હતી અને તેમણે આ સમગ્ર ફોટા અને વિડીયો લીધા હતા અને સમગ્ર બાબતે એસટી વિભાગના તંત્રને જાણ પણ કરી છે મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયથી ઇન્ટરસિટી બસો માં કેપેસિટી કરતા વધુ મુસાફરો ભરવામાં આવી રહ્યા છે જેના કારણે લોકોની મુસીબતો વધી જ છે સાથે ઓવરલોડિંગને કારણે બસોની હાલત પણ વધુ બત્તર બની છે આ સમગ્ર બાબતે એસટી વિભાગ ધ્યાન આપી યોગ્ય કાર્યવાહી કરે તે માટે ધરમપુરના અગ્રણી સુરેશ પટેલ દ્વારા રજૂઆત કરાય છે

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!