આમ આદમી પાર્ટી દ્વારા કપરાડામાં વિજય ત્રિરંગા યાત્રા નીકળી

On: March 31, 2022 12:36 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

હાલમાં પંજાબ ખાતે યોજાયેલી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી નો ભવ્ય વિજય થતાં પંજાબમાં આમ આદમી પાર્ટીએ પોતાની સરકાર બનાવી છે આમ આદમી પાર્ટીના વિજયને લઇને ઠેરઠેર ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને સભ્યો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે જે પૈકી વિજય ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજે આમ આદમી પાર્ટીના હોદ્દેદારો દ્વારા કપરાડા તાલુકા મથક ખાતે વિજય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના સભ્યો અને હોદ્દેદારો તેમજ પ્રદેશ મંત્રી સહિત પ્રમુખ પણ જોડાયા હતા નાનાપોઢા સર્કલ ખાતેથી નીકળેલી વિજય તિરંગા યાત્રા કપરાડા તાલુકાના છેવાડાના ગામ સૂથારપાડા સુધી પહોંચી હતી અને વિવિધ સ્થળે ઊભા રહી આમ આદમી પાર્ટીના સૂત્રોચ્ચાર પણ કર્યા હતા આ રેલીમાં પ્રદેશ મંત્રી ઇશ્વરભાઇ પટેલ વલસાડ જિલ્લા પ્રમુખ જીતુભાઇ દેસાઈ ધરમપુર તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ પ્રવીણ ભાઈ આહીર ,ધરમપુર,વિધાન સભા પ્રભારી હિતેશ ભાઈ મુરાની , કપરાડા તાલુકા તાલુકા પ્રમુખ રાજેશ ભાઈ રાઉત ,કપરાડા વિધાન સભા પ્રભારી વિનોદ ભાઈ પટેલ,વલસાડ તાલુકા વિધાનસભા પ્રભારી નિમેષ સોલંકી,મીડિયા ઇન્ચાર્જ વસીમ બેલીમ તેમજ મનાલા ગામ માં સરપંચ જ્યેન્દ્ર ગાંવીત જોડાયા હતા 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!