Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

દિવાળીના તહેવારોને લઈ અંબાજી મંદિરમાં માતાજીના દર્શનના સમયમાં કરાયો વધારો

[ad_1] અંબાજી, તા. 2 નવેમ્બર 2021, મંગળવાર દેશભર પ્રકાશના પાવન વર્ષ દિવાળીના તહેવારોની શરૂઆત થઈ ગઈ છે. દિવાળીના તહેવારોને લઈ અંબાજી મંદિરમાં માતાજીના દર્શન કરવા લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે. ત્યારે અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી દર્શનાર્થીઓ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અંબાજી મંદિરના દર્શનના સમયમાં પણ વધારો કરવામાં આવ્યો છે. માઈ ભક્તો અને … Read more

માઉન્ટ આબુ-દિવમાં 100 ટકા હોટલ ફુલ, મોટાભાગના બૂકિંગ ગુજરાતીઓએ કરાવ્યા

[ad_1] અમદાવાદ, તા. 2 નવેમ્બર 2021, મંગળવાર જીવલેણ કોરોનાને કારણે સતત બે વર્ષ સુધી ભારત સહિત વિશ્વભરમાં પર્યટન સ્થળ સૂમસામ દેખાઈ રહ્યા હતા, ત્યારે હવે દેશમાં દિવાળીનો તહેવાર આવ્યો છે, અને મહામારીનો કહેર પણ ઓછો વર્તાઈ રહ્યો છે, ત્યારે પર્યટન સ્થળો હાલ પર્યટકોથી ઉભરાઈ રહ્યા છે. ચોમાસું હોય કે દિવાળીઓની રજા માઉન્ટ આબુ ગુજરાતીઓની પહેલી … Read more

એક સ્નેક ટેબલેટનો ધૂમાડો ૪૬૨ સિગારેટ પીવા જેટલો થાય છે

[ad_1] અમદાવાદ,2 નવેમ્બર,2021,મંગળવાર  નાના બાળકોમાં સોફ્ટ દારુખાના તરીકે ફેમસ સ્નેક ટીકડીમાંથી નિકળતો ધૂમાડો ૪૬૨ સિગારેટ પીવા બરાબર થાય છે. તેની આસપાસ ૨૫૮૦ આંક જેટલું પ્રદૂષણ ફેલાય છે. દારુખાનાના કારણે નિકળતો ધૂમાડો,ધ્વની જીવ જંતુ અને વનસ્પતિને અસર કરે છે. ઇન્ડિયા સ્પેન્ડના રિપોર્ટ મુજબ એક ફૂલઝડી સળગાવવાથી થતું નુકસાન ૭૪ સિગારેટ પીવા બરાબર છે. જયારે હજાર ટેટા … Read more

355 વર્ષ પહેલા ઔરંગઝેબે અમદાવાદમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકયો હતો

[ad_1] અમદાવાદ,2, નવેમ્બર,2021,મંગળવાર  હાલમાં વધતા જતા પ્રદૂષણના કારણે દિવાળી પર્વનું પ્રતિક ગણાતા ફટાકડા ફોડવા પર નિયમો લાવવામાં આવ્યા છે પરંતુ અમદાવાદમાં આજથી 350 વર્ષ પહેલા ફટાકડા ફોડવા અને દિવા પ્રગટાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.22 નવેમ્બર 1965ના રોજ મોગલ બાદશાહ ઔરંગઝેબે આ ફરમાન જાહેર કરીને અમલ કરાવ્યો હતો.અમદાવાદ પ્રાંતની જનતાને અનુલક્ષીને તમામ સુબાઓને બાદશાહે હુકમ … Read more

જામનગરમાં શંકરટેકરી વિસ્તારમાં બે કારખાનામાં થયેલી રૂપિયા ત્રણ લાખની રોકડની ચોરીનો ભેદ ઉકેલાયો

[ad_1] – સીટી-સી ડિવિઝન પોલીસે બંને ચોરી કરનાર એક તસ્કરને રોકડ સાથે પકડી પાડ્યો: રિમાન્ડ પર લેવા કાર્યવાહી જામનગર,તા.2 નવેમ્બર 2021,મંગળવાર  જામનગરના શંકર ટેકરી ઉદ્યોગનગર વિસ્તારમાં જુદાજુદા બે કારખાનામાંથી રૂપિયા ત્રણ લાખની માલમત્તાની ચોરી થઈ હતી. જે ચોરીનો ભેદ ઉકેલવામાં સીસીટીવી કેમેરા ઉપયોગી સાબિત થયા છે, અને સીટી-સી ડિવિઝન પોલીસે તસ્કરને રોકડ રકમ સાથે પકડી … Read more

જામનગરમાં ખેતીવાડી વિસ્તારના એક ઝૂંપડામાં મોડી રાત્રે આગની ઘટનાથી ભારે દોડધામ

[ad_1] – ફાયર બ્રિગેડની ટીમે ઝડપભેર આગને કાબૂમાં લઇ લેતાં આસપાસના અન્ય ઝૂંપડાઓ બચી ગયા – જે ઝૂંપડામાં આગ લાગી હતી, તેમાં દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની આશંકા જામનગર,તા.2 નવેમ્બર 2021,મંગળવાર જામનગરમાં ખેતીવાડી ફાર્મ નજીક આવેલા એક ઝૂંપડામાં ગઈકાલે રાત્રે ત્રણેક વાગ્યાનાં અરસામાં અકસ્માતે આગળ ભભૂકી ઉઠી હતી, અને ઝૂંપડું બળીને ખાખ થયું હતું. સદભાગ્ય કોઈ … Read more

જામનગરમાં હિંદુ જાગરણ મંચ દ્વારા દેવી-દેવતાના પોસ્ટર સાથેના ફટાકડા નહીં ફોડવા કરાયેલી અપીલ પછી આવા ફટાકડા એકત્ર કરી લેવાયા

[ad_1] – લાલપુર બાયપાસ નજીક દેવી દેવતાના ફોટા સાથેના ફટાકડા એકત્ર કરી લઈ એક ખાડામાં મૂકી, પાણી નાખી દઈ નિકાલ કરી દેવાયો જામનગર,તા.2 નવેમ્બર 2021,મંગળવાર જામનગરમાં હિંદુ જાગરણ મંચ દ્વારા દેવી દેવતાઓ સાથેના ફટાકડા નહીં વેચવા તેમજ નહીં ફોડવા માટેની કરાયેલી અપીલના અનુસંધાને જામનગરના ફટાકડા વિક્રેતાઓ દ્વારા આવા ફટાકડા એકત્ર કરીને હિંદુ જાગરણ મંચને સુપ્રત … Read more

108 ઈમરજન્સી સેવાના કર્મીઓ તેમના પરિવાર સાથે નહીં ઉજવે દિવાળી !

[ad_1] ભરૂચ: સામાન્ય દિવસો કરતાં તહેવારોના દિવસોમાં દુર્ઘટના  બનવાની સંભાવનાઓ વધી જાય છે. આવા સંજોગોને પહોંચી વળવા 108 ઈમરજન્સી સેવાનાં કર્મચારીઓ ખડે પગે રહેશે. તેમના પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરવાના બદલે 90 કર્મચારીઓ પ્રજાની સેવામાં ખડે પગે રહેશે. દિવાળીમાં આગ લાગવાના, અકસ્માતના તેમજ અન્ય બનાવોની સંખ્યા વધી જાય છે. ભરૂચ જિલ્લામાં આવા કોઈ બનાવ બને … Read more

દિવાળી પહેલાં ખરીદીની ધૂમ! ફટાકડા, મીઠાઈ અને કપડાંનું વધુ વેચાણ

[ad_1] વડોદરા,તા.2 નવેમ્બર 2021,મંગળવાર વડોદરા શહેરની બજારોમાં દિવાળીની ધૂમ જોવા મળી રહી છે. દિવાળીની ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો પોતાના પરિવાર સાથે વિવિધ બજારોમાં ઉતરી પડ્યાં છે. જેને પગલે શહેરમાં ઠેર-ઠેર ટ્રાફિકની સમસ્યા અને વાહનના પાર્કિંગની પ્રોબ્લેમ ઉભી થઈ હતી. એટલું જ નહીં ભીડ એટલે હતી કે, કેટલાંક ઠેકાણે ખરીદી કરવા આવેલાં ગ્રાહકોએ અન્ય ગ્રાહકો … Read more

જામનગર શહેરમાં વેક્સીનેશનની કામગીરી ખૂબ વેગવંતી: 100 ટકાની નજીક પહોંચી

[ad_1] જામનગર,તા.2 નવેમ્બર 2021,મંગળવાર જામનગર સહિત સમગ્ર દેશભરમાં કોરોના મહામારી સામે લડવા માટે 11 મહિનાથી વેક્સીનેશન અભિયાન ચાલી રહ્યું છે. ગુજરાતના અમુક શહેરો ના નાગરિકોએ 100 ટકા પ્રથમ ડોઝ લઇ લીધો છે. જામનગર શહેરની વાત કરવામાં આવે તો કોર્પોરેશનના આંકડાઓ મુજબ 4,88,996 લોકો વેક્સીન લેવા યોગ્ય છે, જે પૈકી 4,74,151 લોકો વેક્સીન લઇ ચુક્યા છે. … Read more

error: Content is protected !!