
આજથી શરૂ થયેલા ચૈત્રી નવરાત્રી માતાજીના પર્વને લઈને વલસાડના શક્તિપીઠ સમા ગણવામાં આવતા પારનેરા ડુંગર ઉપર બિરાજતા અંબિકા ચંડિકા અને નવદુર્ગા માતાજીને પ્રથમ દિવસથી જ શાજ શણગાર કરીને ભક્તિભાવ પૂર્વક આરતી અને પૂજન કરવામાં આવ્યું હતું આજે વહેલી સવારથી જ પારનેરા ડુંગર ઉપર મળસ્કે ચાર વાગ્યાથી માતાજીના દર્શનાર્થે ભાવિક ભક્તોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો સાથે જ પાકેલા ડુંગર પર બિરાજતા મહાકાળી કાના દર્શન માટે પણ લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા

ચૈત્રી નવરાત્રી નું આધ્યાત્મિક પર્વ આજથી શરૂ થયું છે ત્યારે હિન્દુ ધર્મમાં તેનું ખૂબ મહત્વ માનવામાં આવે છે મા શક્તિની આરાધના કરીને અનેક સાધુ સંતો માતાના આશીર્વાદ મેળવતા હોય છે અને અનેક ભાવિક ભક્તોને કાર્યો પણ માતાજીના આશીર્વાદથી પૂર્ણ થતા હોય છે ત્યારે આજે મોટી સંખ્યામાં પારલેરા ડુંગર ઉપર સવારે ચાર વાગ્યાથી લોકો માતાજીના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા









