Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

વૈડીમાંથી વાત્રક નદીમાં પાણી છોડવા 15 ગામોના ખેડૂતોની માંગ સાથે રામધૂન

On: January 5, 2022 3:23 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

મોડાસા,તા.4

અરવલ્લી જિલ્લાના મેઘરજ અને માલપુર તાલુકાના ૧૫ જેટલા ગામો
વાત્રક નદીના કિનારે આવેલા હોવા છતાં કોરીભઠ્ઠ થયેલ આ નદીને લઈ જરૂરી સિંચાઈના
અભાવે કાંઠાના ખેડૂતો દ્વારા મહામહેનતે કરાયેલ રવિ વાવેતર જરૂરી સિંચાઈના અભાવે
મુરઝાઈ જતાં પાણીની માંગ ઉઠાવી હતી. પોતાની માંગનાસમર્થનમાં આ ખેડૂતો દ્વારા
નદીમાં ખેત સિંચાઈ માટે પાણી છોડવા માંગ ઉઠાવી હતી.

અરવલ્લી જિલ્લામાંથી વહેતી માઝુમ,વાત્રક,મેશ્વો અને વૈડી નદી ઉપર મસમોટા જળાશયો બાંધવામાં આવ્યા છે અને આ મોટા
ડેમોથી જિલ્લાના કેટલાય ગામોમાં પીવાના પાણીનો અને રવિ તેમજ ઉનાળુ સીઝનમાં
ખેતીપાકો માટે સિંચાઈનો પ્રશ્ન હલ થઈ રહયો છે. પરંતુ આ જળાશયોના ઉપરવાસમાં આવેલ
પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં જળાશયોની કેનાલો દ્વારા પૂરો પડાતો સિંચાઈનો લાભ મળતો
ન હોવાથી નદી કાંઠે પણ તરસ્યા રહેવા જેવા ઘાટની સ્થિતિ સર્જાતી હોય છે. જિલ્લાના
વાત્રક જળાશયમાંથી ડાબા અને જમણા કાંઠાની કેનાલ મારફત માલપુર
,બાયડ સહિતના પંથકમાં ખેડૂતોને સિંચાઈનો લાભ રવિ સીઝનમાં છોડાતાં કેનાલ
પાણીથી મળી રહે છે. પરંતુ વાત્રક નદીના ઉપરવાસ પંથકમાં આવેલા મેઘરજ અને માલપુર
તાલુકાના કેટલાય ગામોને નદી કાંઠે પણ તરસ્યા રહેવાની સ્થિતિનો વારો આવી રહયો છે.

 માલપુર તાલુકાના
પરસોડા ગામ સહિત આસપાસના ગામોના ખેડૂતોએ ગામના સીમાડેથી વાત્રક નદી પસાર થતી હોવા
છતાં હાલ રવિ પાક જરૂરી  સિંચાઈના અભાવે
મુરઝાઈ રહયો હોઈ મીડીયા સમક્ષ ભારે વેદના પ્રગટ કરી હતી. અને આ પંથકના ખેડૂતોએ
વાત્રક નદીમાં જ રામધૂન યોજી તંત્ર સમક્ષ રવિ વાવેતરને લઈ સિંચાઈનો જરૂરી લાભ મળી
રહે તેવી માંગ ઉઠાવી હતી. મેઘરજ તાલુકામાં આવેલ વૈડી જળાશયમાંથી  વાત્રક નદીમાં પાણી છોડાય તો મેઘરજ તાલુકાના ૬
થી ૭ ગામો અને માલપુર તાલુકાના ૦૪ ગામોના ૫૦૦ થી વધુ ખેડૂતો દ્વારા આ વર્ષે રવિ
સીઝનમાં કરાયેલ ૮ થી ૧૦ હજાર હેકટરના શિયાળુ પાકોને જરૂરી સિંચાઈનો લાભ મળી રહેશે.
એવી રજૂઆત સાથે નદીમાં પાણી છોડવા માંગ ઉઠાવાઈ હતી.

વાત્રક નદી સૂકીભઠ્ઠ થતાં નદી કિનારા હોવા છતાં તરસ્યા જેવો
ઘાટ

વાત્રક નદીમાં રામધૂન યોજી રહેલા કેટલાક ખેડૂતો પૈકી ખેડૂત
મહાસુખભાઈ પટેલ અને દિનેશભાઈ પટેલે જણાવ્યું હતું કે વાત્રક નદીમાં હાલ પાણી નથી
સૂકીભઠ્ઠ નદીને લઈ પશુઓને પીવાના
પાણીનો સર્જાયો છે. જયારે નદી નાળામાં પાણી સૂકાઈ જતાં પંથકના કૂવાના તળ ઊંડા
ઉતર્યા છે અને નદી કાંઠે જ તરસ્યા રહેવા જેવો ઘાટ સર્જાયો છે અને મહામહેનતે કરાયેલ
રવિપાક વગર પાણીએ સૂકાઈ રહયા છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!