કોવિડ મૃત્યુ સહાયની વ્યવસ્થા શક્ય તેટલી સરળ બનાવો : સુપ્રીમ

On: November 29, 2021 8:37 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


રાજ્ય સરકારને સુપ્રીમ કોર્ટનું સૂચન

સરકારી ઓફિસોમાં અરજદારો જાય તો વચેટિયાઓ લાભ ન લઇ જાય તેની તકેદારી રાખવામાં આવે

અમદાવાદ : કોવિડ મૃત્યુસહાય અંગે ગુજરાત સરકારે લીધેલા નવાં પગલાંની માહિતી આજે સુપ્રીમ કોર્ટને આપવામાં આવી હતી. જેથી કોર્ટે સૂચન કર્યુ હતું કે કલેક્ટર કે મામલતદાર ઓફિસમાં અરજી કરવા જતાં સમયે વચેટિયાઓ લાભ ન લઇ જાય તેની તકેદારી રાખવામાં આવે.

રાજ્ય સરકારે જવાબમાં કહ્યું હતું કે થોડાં દિવસોમાં અરજી માટે ઓનલાઇન પોર્ટલ પણ કાર્યરત થઇ જશે અને આ જ હેતુસર પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે આજે જવાબ આપ્યો હતો કે અરજદારોએ કલેક્ટર કે મામલતદાર ઓફિસમાં સહાય માટે અરજી કરવાની રહેશે અને જિલ્લાની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા લાભાર્થીને સીધી ચૂકવણી કરવામાં આવશે.

જેથી જસ્ટિસ એ.આર. શાહ અને જસ્ટિસ બી.વી. નાગરત્નાની ખંડપીઠે સરકારને સૂચન કર્યુ હતું કે અંતરિયાળ ગામડાંમાં રહેતી કોઇ વ્યક્તિ માટે કલેક્ટર કે મામલતદાર ઓફિસે પહોંચી આવી રીતે અરજી કરવી મુશ્કેલ છે. આ ઓફિસોમાં વચેટિયાઓ પણ હોય છે અન તેઓ લાભ લઇ લે તેવી શક્યતા છે. જેથી રાજ્ય સરકારે કહ્યું હતું કે આ જ હેતુસર અરજી માટે પોર્ટલ પણ ડેવલપ કરાઇ રહ્યું છે અને 15 દિવસમાં તે કાર્યરત થઇ જશે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!