Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

પવનની વિરુદ્ધ દિશાથી ફ્લાઇટ ડાઇવર્ટ : ૪૦૦ મુસાફરોને હાલાકી

On: March 22, 2022 9:50 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ, મંગળવાર

અમદાવાદના સરદાર
વલ્લભભાઈ પટેલ એરપોર્ટ ખાતે સવારે પવનની વિરુદ્ધ દિશામાં ગતિ હોવાથી એર ટ્રાફિક કન્ટ્રોલ
ટાવર (એટીસી) એ ફ્લાઈટ લેન્ડિંગ માટે મંજૂરી નહીં આપતા તેને ઇન્દોર ડાઈવર્ટ કરવી પડી
હતી. આ ફ્લાઇટ ઇન્દોરથી સવારે રવાના થાય તે પહેલા જ અમદાવાદ એરપોર્ટનો રન-વે બંધ થઈ
ગયો હતો. આમ, દિલ્હીના મુસાફરો રઝળી ન પડે તે માટે તેમને અમદાવાદથી બાયરોડ વડોદરા એરપોર્ટથી
લઇ જવા પડયા હતા. જેના કારણે ૪૦૦થી વધુ મુસાફરો ભારે હાલાકીમાં મુકાયા હતા.

અમદાવાદથી દિલ્હી
જતી ઇન્ડિગોની ફ્લાઇટ સવારે ૮ઃ ૩૫  કલાકે ટેકઆફ
થાય તે પહેલાં સવાર ૨૧૬ જેટલા મુસફરોનું સિક્યોરિટી ચેકીંગ થઈ ગયું હતું. ફ્લાઇટ અમદાવાદના
રડારમાં આવી પહોંચી હતી. ફ્લાઇટના  લેન્ડિંગની
વિરુદ્ધ દિશામાં પવન   હોવાથી ૧૫ મિનિટ સુધી
આકાશમાં ચક્કર મારવા પડયા હતા. કેપ્ટને વિમાન ને ઉતારવા માટે બે વખત પ્રયાસ કરવા છતાં
લેન્ડીંગ શક્ય ન બનતા આખરે ફ્લાઇટને  ઇન્દોર
ડાઇવર્ટ કરવી પડી હતી. આમ, અમદાવાદથી દિલ્હી જનાર ૨૧૬ મુસાફરો એરપોર્ટ પર રાહ જોઈને
બેઠા હતા. પરંતુ ફ્લાઈટ ઇન્દોરથી અમદાવાદ આવે તે પહેલાં રન-વે બંધ થઈ ગયો હતો.

આમ ,દિલ્હીથી  અમદાવાદ જતા મળી કુલ ૪૦૦ મુસાફરો માટે રનવે વધુ
સમય ખુલ્લો  રાખવા મંજૂરી માંગી હતી પરંતુ ન
મળતા દિલ્હી જતા મુસાફરો રોષે ભરાયા હતા. નોંધનીય છે કે થોડા દિવસ પહેલા વિદેશથી આવેલા
એક બિઝનેસમેનના પ્રાઇવેટ જેટ વિમાન  લેન્ડિંગ
માટે રન-વે સ્પેશિયલ  કેસમાં ખોલવો  પડયો હતો. તાજેતરમાં એર ઇન્ડિયાની ઇન્ટરનેશનલ  ફ્લાઇટને ટેકઆફ માટે રન-વે બે કલાક વધુ ઓપન રાખવાની
મંજૂરી મળી હતી. આજે બનેલી ઘટના માં મંજૂરી ન આપતા અનેક તર્કવિતર્ક ઉભા થયા છે. ઈન્દોરની
આ ફ્લાઇટ વડોદરા ખાતે ૧૦ઃ૪૫ કલાકે આવી ચૂકી હતી.

એરલાઇન કંપનીએ
મુસાફરોને પૂરું રિફંડ કે બીજી તારીખમાં ચાર્જ વિના તારીખ બદલાવી આપવાનો  વિકલ્પ આપવામાં આવ્યો હતો.  બીજીતરફ એરલાઇન કંપનીએ  મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખી  ઇન્દોર ડાઈવર્ટ થયેલી ફ્લાઇટને વડોદરા એરપોર્ટ પર
ઉતરણ કરવાનો નિર્ણય લીધો હતો. આમ ૃ, અમદાવાદથી ૧૩૦ મુસાફરોને બસમાં બાય રોડ  વડોદરા એરપોર્ટ પહોંચાડવામાં આવ્યા હતા. ત્યાંથી
તેમને દિલ્હી લઈ જવાયા હતા જ્યારે   દિલ્હી
અમદાવાદના સવાર ૧૮૬  મુસાફરોને વડોદરા એરપોર્ટથી
બાય રોડ અમદાવાદ પહોંચાડવાની ફરજ પડી હતી. આ પરિસ્થિતિને કારણે બંને મુસાફરો ને ભારે
અવ્યસ્થાનો સામનો કરવો પડયો હતો.

 

 

ક્રોસ વિન્ડમાં
ફ્લાઇટ ફંટાઇ જવાનું જોખમ રહે છે

એરક્રાફ્ટના લેન્ડિંગ
માટે પવનની દિશા ખૂબ જ મહત્વની હોય છે. પવનની દિશા વિરુદ્ધ હોય અને તેમાં પાયલોટ લેન્ડિંગ
કરવાનો પ્રયાસ કરે તો તે સ્થિતિમાં એરક્રાફ્ટ ફંટાઇ જવાનું જોખમ રહે છે. ક્રોસ વિન્ડમાં
નાનકડી બેદરકારી પણ મોટી મુસિબત સર્જે તેવી સંભાવના હોવાથી મોટાભાગના પાયલોટ એરક્રાફ્ટને
ડાઇવર્ટ કરવાના વિકલ્પ પર જ પસંદગી ઉતારતા હોય છે. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!