Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

આણંદ જિલ્લાના 3 તાલુકાની 32 ગ્રા.પં.ની ચૂંટણી યોજવા કવાયત

On: March 22, 2022 9:28 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

– વહિવટીતંત્ર દ્વારા તૈયારીઓને લઇ કામગીરી શરૂ

– આણંદ તાલુકની 17, ઉમરેઠની 12 અને આંકલાવ તાલુકાની 3 ગ્રા.પંની મુદત તા.૩જી મેના રોજ પૂર્ણ થશે

આણંદ : આણંદ જિલ્લાના આણંદ તાલુકાની ૧૭, ઉમરેઠ તાલુકાની ૧૨ અને આંકલાવ તાલુકાની ૩ મળી કુલ ૩૨ ગ્રામ પંચાયતોની મુદ્દત પૂર્ણ થવાની છે ત્યારે આ ગામોમાં ચૂંટણી યોજવાની કવાયત હાથ ધરવામાં આવી છે અને મતદાર યાદી પણ પ્રસિધ્ધ કરી દેવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.

વિધાનસભાની ચૂંટણીને આડે એક વર્ષથી પણ ઓછો સમય બાકી રહ્યો છે ત્યારે આણંદ જિલ્લાના આણંદ તાલુકાની ૧૭ ગ્રામ પંચાયતોની આગામી તા.૨૬મી એપ્રિલના રોજ અને ઉમરેઠ તાલુકાની ૧૨ તેમજ આંકલાવ તાલુકાની ૩ ગ્રામ પંચાયતોની મુદ્દત આગામી તા.૩ મેના રોજ પૂર્ણ થનાર છે. જેને લઈ વહીવટી તંત્ર દ્વારા જિલ્લાની ૩૨ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજવાની તૈયારીઓ આરંભી દેવાઈ છે અને રાજ્યના ચૂંટણી પંચનો આદેશ આવે એ સાથે જ ચૂંટણી પ્રક્રિયા પણ તેજ કરી દેવામાં આવનાર છે. આણંદ, આંકલાવ અને ઉમરેઠ એ ત્રણ તાલુકાની કુલ ૩૨ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજાનાર છે. આ ચૂંટણીની અસર આણંદ, આંકલાવ અને ઉમરેઠ વિધાનસભા બેઠક પર ભારે અસર થવાની શક્યતા રહેલી હોઈ અત્યારથી જ રાજકીય પાર્ટીઓ દ્વારા સરપંચ સહિત વોર્ડના સભ્યોની પસંદગીની પ્રક્રિયા અંદરખાને તેજ કરી દીધી છે ત્યારે માર્ચ માસના અંતિમ દિવસો દરમ્યાન ચૂંટણીઓ યોજવા અંગેનું જાહેરનામું બહાર પડવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે.

આણંદ જિલ્લાના ત્રણ તાલુકાઓની ૩૨ ગ્રામ પંચાયતોની મુદ્દત પુરી થનાર હોઈ આગામી સમયમાં યોજાનાર ચૂંટણીઓને લઈ ગ્રામ્ય વિસ્તારોમાં રાજકીય ગરમાવો વ્યાપી જવા પામ્યો છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા સમરસ ગ્રામ પંચાયતો બને તે દિશામાં કાર્યવાહી હાથ ધરાઈ છે. જો કે પાંચ હજારથી વધુ વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતો ઉપર ભાજપ અને કોંગ્રેસ દ્વારા નજરો સ્થિર કરી પક્ષની વિચારધારાવાળા સરપંચ બને તે દિશામાં પ્રયત્નો શરૂ કરી દીધા છે. 

ગ્રામ પંચાયતની ચૂંટણીઓ પક્ષના બેનર વગર જ લડાતી હોવા છતાં હાલ તો રાજકીય પક્ષો દ્વારા પોતાની પક્ષની વિચારસરણીવાળા ઉમેદવાર વિજયી બને તે માટે દોરીસંચાર શરૂ કરી દેવાયો હોવાનો ગણગણાટ તેજ થવા પામ્યો છે. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!