Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

સાંડેસરા બંધુઓની વધુ ૨૦.૭૭ કરોડની સંપત્તિ ઈડીએ ટાંચમાં લીંધી

On: March 22, 2022 8:46 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરાઃ ઈડી(એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ)દ્વારા વડોદરાના ઉદ્યોગપતિ ે સાંડેસરા બંધુઓની સામે વધુ એક વખત કાર્યવાહી કરીને તેમની વધુ ૨૦.૭૭ કરોડ રુપિયાની પાંચ સંપત્તિ ટાંચમાં લીધી છે.

પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એકટ હેઠળ થયેલી કાર્યવાહીના ભાગરુપે જે સંપત્તિ ટાંચમાં લેવામાં આવી છે તેમાં પાંચ બેન્ક એકાઉન્ટ, શેર તેમજ પાંચ સ્થાવર મિલકતોનો સમાવેશ થાય છે.આ તમામની કુલ કિંમત ૨૦.૭૭ કરોડ હોવાનુ ઈડીએ જણાવ્યુ છે.

વડોદરા ખાતે સ્ટર્લિંગ ગુ્રપની કંપનીઓના માલિક સાંડેસરા બંધુઓની ૧૪૫૪૩ કરોડ રુપિયાની સંપત્તિ અત્યાર સુધીમાં ઈડી ટાંચમાં લઈ ચુકી છે.ઈડીનુ કહેવુ છે કે, ભવિષ્યમાં હજી બીજી કેટલીક સંપત્તિઓને ટાંચમાં લેવા માટે કાર્યવાહી કરવામાં આવશે.

મની લોન્ડરિંગના કેસમાં નીતિન સાંડેસરા, તેમના ભાઈ ચેતન સાંડેસરા તથા તેમના પત્ની દિપ્તી સાંડેસરા અને પરિવારના અન્ય એક સભ્ય હિતેશ પટેલને ભાગેડુ જાહેર કરવામાં આવેલા છે.તેમને વિદેશથી પાછા લાવવા માટે પ્રયાસ ચાલી રહ્યા છે તેવુ સરકારનુ કહેવુ છે.કેસમાં અત્યાર સુધી પાંચ ચાર્જશીટ ફાઈલ થઈ ચુકી છે.આ કેસમાં આંધ્ર બેન્ક સહિતની બેન્કો સાથે લોનની ૧૬૦૦૦ કરોડ  રુપિયાની છેતરપિંડીનો આરોપ સ્ટર્લિંગ ગુ્રપના સાંડેસરા બંધુઓ પર મુકાયેલો છે.

ઈડી દ્વારા ૨૦૧૭માં સીબીઆઈની ફરિયાદના આધારે સાંડેસરા બંધુઓ સામે આ કેસમાં કાર્યવાહી શરુ કરવામાં આવી હતી.ઈડીનુ કહેવુ છે કે, અત્યાર સુધીમાં સાંડેસરા બંધુઓની ૧૪૫૪૩ કરોડની સંપત્તિ ટાંચમાં લેવાઈ છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!