[ad_1]

જામનગર : જામનગર શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા ૧૪ ફેબ્રુઆરી ૨૦૦૯ના દિવસે પુલવામાંના આતંકી હુમલામાં શહીદ થયેલા ૪૪ વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.
જામનગર શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ કરશન ભાઈ કરમુર ની આગેવાની હેઠળ પાર્ટીના અન્ય હોદ્દેદારો-કાર્યકરો વગેરે દ્વારા આજે ૧૪ ફેબ્રુઆરીના સાંજે છ વાગ્યે ડી.કે.વી. સર્કલ માં આવેલી સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા પાસે પુલવામાંના આતંકી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોની તસવીરો સાથેના પોસ્ટર નજીક પુષ્પાંજલિ અર્પવામાં આવી હતી, અને તમામ હોદેદારો કાર્યકરો દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી, અને તમામ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરાઇ હતી.
[ad_2]
Source link






