[ad_1]

સુરત, તા. 15 ફેબ્રુઆરી, 2022
ગ્રીષ્માની અંતિમ યાત્રા આજે સવારે 9:30 વાગ્યે નીકળશે. મૃતક યુવતીના પિતા આફ્રિકા હોવાથી અંતિમ યાત્રામાં મોડું થયું હતું. 12મી ફેબ્રુઆરી શનિવારે સાંજના સમયે ગ્રીષ્માની હત્યા કરવામાં આવી હતી. આજે 12 કિમી સુધીની અંતિમ યાત્રા થશે જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે. અંતિમ યાત્રાને લઈ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
સુરત જિલ્લાના કામરેજના પાસોદરામાં ફેનીલ પંકજ ગોયાણીએ એક તરફી પ્રેમમાં ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીનું તેની માતા અને ભાઈની નજર સામે સરાજાહેર ગળું કાપી હત્યા કરી નાખી હતી. જેના સુરત સહિત રાજયભરમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. યુવતીની આવી ઘાતકી હત્યાને લઈને આખું ગુજરાત હચમચી ઊઠ્યું છે. આ ઘટનાથી સૌરાષ્ટ્ર સમાજના આગેવાનોએ આજે પોલીસ કમિશ્નર અજય તોમરને આવેદન પત્ર આપ્યું હતું જેમાં ગ્રીષ્માની હત્યાનો ઉલ્લેખ કરી પરિવારને ઝડપથી ન્યાય મળે તેવી માંગણી કરી હતી.
[ad_2]
Source link






