[ad_1]

ભાવનગર, તા. 15 ફેબ્રુઆરી, 2022, મંગળવાર
દિલ્હી-જયપુર રોડ ઉપર એક ગમખ્વાર અકસ્માત થયો છે જેમાં કારમાં સવાર આરોપી અને 4 પોલીસકર્મી સહિત 5 લોકોના મોત થયા છે. આ પોલીસ કર્મીઓ દિલ્હી તપાસમાં ગયા હતા અને એક આરોપીને લઈને ભાવનગર પરત આવી રહ્યા હતા. આ મૃતક પોલીસ કર્મીઓ ગુજરાત પોલીસમાં ફરજ બજાવી રહ્યા હતા. આ અકસ્માત ભબરૂ થાણે વિસ્તારમાં સર્જાયો હતો.
મૃતક પોલીસ કર્મીઓના નામ
1. ભીખુભાઈ બુકેરા, કોન્સ્ટેબલ
2. શક્તિસિંહ ગોહિલ, કોન્સ્ટેબલ
3. મનસુખ બાલધીયા, કોન્સ્ટેબલ
4. ઈરફાન અગવાન , કોન્સ્ટેબલ
આ મૃતક પોલીસકર્મીઓ ભાવનગરમાં ફરજ બજાવી રહ્યા હતા. સમાચાર મળતા જ ભાવનગર પોલીસબેડામાં શોકનો માહોલ સર્જાયો છે. અધિકરીઓ જયપુર રવાના થઈ ગયા છે.
[ad_2]
Source link






