Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

નવી દિલ્હીથી મુંબઇ દોડતી ટ્રેનની સ્પીડ વધારવા 450 કરોડ ફાળવાયા

On: February 6, 2022 2:25 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ,તા.05 ફેબ્રુઆરી 2022,શનિવાર

રેલવે બજેટમાં આ વર્ષે પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગને ૧,૬૫૯.૩૯ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. જુના-નવા વિકાસકામોને પુરા કરવા માટે આ રકમ વર્ષ ૨૦૨૨-૨૩ના વર્ષ માટે આપવામાં આવી છે. નવી દિલ્હી-મુંબઇ વચ્ચે  દોડતી ટ્રેનની સ્પીડ મહતમ ૧૬૦ થી ૨૦૦ કિ.મી. પ્રતિ કલાકની વધારવા માટે કરવા પડતા જરૂરી ફેરફાર માટે ૪૫૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. બંને શહેર વચ્ચેનો મુસાફરી સમય ૧૨ કલાકનો લક્ષ્ય રખાયો છે.  પાલનપુર-સામખિયાલી રેલવે લાઇન માટે ૪૦૦ કરોડ અને હિંમતનગર-ખેડબ્રહ્મા મીટરગેજને બ્રોડગેજમાં પરિવર્તિત કરવા માટે ૩૭૦ કરોડ રૂપિયા આ બજેટમાં વધારાના ફાળવવામાં આવ્યા છે.

નવી નાંખવામાં આવેલી ભિલડી-વિરમગામ વચ્ચેની ૧૫૭ કિ.મી.લાંબી લાઇનની સાથે  મહેસાણા-તારંગાહિલની ૫૭.૪ કિ.મી.રેલ લાઇનને મટિરિયલ મોડિફિકેશન માટે આ બજેટમાં પાંચ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. સાબરમતી રેલવે સ્ટેશને બીજા કોચિંગ ટર્મિનલ સુધી ટ્રેક ડબલિંગ માટે ૧ લાખ તેમજ  કોચિંગ ટર્મિનલના સંચાલન માટે લેફ્ટ ઓવર ફેસિલિટીસ  માટે ૪.૭૮ કરોડ ફાળવાયા છે.

રેલવે ક્રોસિંગ પર સુવિધાઓ વધારવા માટે, શૌચાલય સહિતની બીજી સુવિધા આપવા માટે , અનમેનગેટને મેનગેટ બનાવવા માટે બજેટમાં ૬.૨૬ કરોડ જેટલી રકમ ફાળવાઇ છે.અમદાવાદમાં સાબમરતી ખાતે આવેલા રેલવે કારખાનાઓના વિકાસ માટે સુવિધાઓ માટે પણ બજેટમાં વધારાના ૧૦.૮ કરોડની રકમ અપાઇ છે.

કર્મચારીઓના કલ્યાણ માટે ૧.૪ કરોડની રકમ અપાઇ છે. જેમાં અમદાવાદ વિભાગમાં પ્લેટફોર્મ નંબર ૧ થી ૮ માં સીસી એપ્રોન માટે પણ રકમ અપાઇ છે. સાબરમતી-બોટાદ, અમદાવાદ-પાલનપુર, ગેરતપુર-અમદાવાદ, વિરમગામ-સામખિયાલી, મહેસાણા-વિરમગામ, પાલનપુર-ખોડિયાર, અમદાવાદ-પાટણ સહિતની રેલ લાઇનો પર માર્ગ સુધારણા, ઓવરબ્રિજ, અંડર બ્રિજ માટે રકમ ફળવાઇ છે.

મહેસાણા-પાલનપુરમાં બ્રિજના નવિનીકરણ માટે ૨૦ લાખ તેમજ અમદાવાદ-વિરમગામ ૮૦ લાખ ફાળવાયા છે.

કયા કામ માટે કેટલી રકમ ફાળવવામાં આવી

બ્રોડગેજ લાઇન માટે

વિગત

રૃપિયા ફળવાયા
(કરોડ)

નવી
લાઇન

ગેજ
પરિવર્તન

,૦૨૪.૮

ટ્રેક
ડબલિંગ

૪૫૪.૭૯

રેલવે
ક્રોસિંગ

૪.૭૬

રેલ
કારખાના

૧૦.૮

કર્મચારી
કલ્યાણ

૧.૪

રોડ
મરામત

૩૪.૪૩

ઓવરબ્રિજ

૨૦.૯

પુલ,
સુરંગ, માર્ગ

૩.૧

રેલપથ
નવિનીકરણ

૯૯.૫૬

અમદાવાદ-બોટાદ

૫૬ કરોડ

અમદાવાદ-મહેસાણા

૫૦ કરોડ

હિંમતનગર-ખેડબ્રહ્મા

૩૭૦ કરોડ

વિરમગામ-સુરેન્દ્રનગર

૧ લાખ

વિરમગામ-સમખિયાલી

૭૫.૫ કરોડ

વટવા-અમદાવાદ
ત્રીજી લાઇન

૧.૫કરોડ

પાલનપુર-સામખિયાલી

૪૦૦ કરોડ

મહેસાણા-પાલનપુર

૭૨કરોડ

 

ટ્રેક ડબલિંગ માટે

સાબરમતી
સેકન્ડ કોચિંગ ટર્મિનલ

૧ લાખ

સાબરમતી
લેફ્ટ ઓવર ફેસિલિટી

૪.૭૮ કરોડ

નવી
દિલ્હી-મુંબઇ રૃટ

૪૫૦ કરોડ

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!