કોસાડ-વસવારી ક્રિભકો રેલવે લાઈન પર 86 કરોડના ખર્ચે સુરતનો 123મો બ્રિજ બનશે

On: January 25, 2022 8:37 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


રેલવે તંત્રએ ડિઝાઈનમાં ફેરફાર કરાવતાં
મ્યુનિ.ને 9 કરોડનો ફટકોઃ પહેલાં તૈયાર થયેલી ડિઝાઇન મુજબ રૃા.76 કરોડનો ખર્ચ હતો

                સુરત

બ્રિજના શહેર
એવા સુરતમાં આગામી દિવસોમાં વધુ એક  રેલવે ફ્લાય
ઓવર બ્રિજ બનશે. અમરોલી- સાયણને જોડતાં 60 મીટરના રસ્તા પર વસવારી ક્રિભકો ફાટક પર
પાલિકા તંત્રએ રેલ્વે ઓવર બ્રિજ બનાવવા આયોજન કર્યું છે. સુરતમાં હાલમાં 115 બ્રિજ
પર વાહનો દોડે છે, 8 બ્રિજ નિર્માણાધિન છે. હવે વધુ એક બ્રિજના આયોજનથી સુરતનો આ 123મો
બ્રિજ બનશે. જોકે, રેલવે તંત્રએ ડિઝાઇન બદલ બ્રિજનો ખર્ચ રૃા.૯9 કરોડ વધીને રૃા.85.87
કરોડ થશે.

સુરત શહેરને નેશનલ
હાઈવે સુધી જોડતાં વિવિધ રસ્તાને વધુ સરળ બનાવવા માટે આયોજન થઈ રહ્યું છે તેમાં અમરોલી-
સાયણને જોડતાં 60 મીટરના ટીપી રોડ પર કોસાડ ક્રિભકો લાઈન આવી છે આ જગ્યાએ અંત્રોલી
તરફ જતાં ટ્રાફિકનું ભારણ વધું રહે છે. આ જગ્યાએ રેલ્વેની ફાટક હોવાથી ટ્રાફિકની સમસ્યામા
વધારો થઈ રહ્યો છે. આ સમસ્યા દુર કરવા માટે પાલિકાએ ક્રિભકો રેલ્વે ફાટક ઉપર બ્રિજ
બનાવવાનો નિર્ણય કર્યો છે. આ માટે પાલિકાએ સાત કન્સલન્ટન્ટની પેનલ બનાવી હતી તેમની
પાસેસ્ટ્રકચરલ ડિઝાઈન અને કન્સલટન્ટની કામગીરી સોંપવામાં આવી છે. આ  બ્રિજ માટે પાલિકાએ અમદાવાદની સ્ટુપ કન્સલટન્ટ કામગીરી
સોંપી હતી. આ બ્રિજ માટે 76.27 કરોડના નેટ તથા 81.96 કરોડના ગ્રોસ અંદાજ નક્કી કરાયા
હતા.

જોકે, ડિઝાઈન બની
ગયાં બાદ રેલ્વે વિભાગમા ંડિઝાઈન મંજુરી માટે મોકલી હતી તેમાં રેલ્વે વિભાગ દ્વારા
રસ્તામાં પીલર ન આવે તે રીતે મોટા સ્પાન બનાવી બ્રિજ બનાવવા સુચન કરતાં ફરીથી ડિઝાઈન
બનાવવામા આવી હતી. આ ડિઝાઈન બદલાતા પાલિકાના બ્રિજની કિંમત વધીને 85.87 કરોડ નેટ અંદાજ
અને 91.97 કરોડના ગ્રોસ અંદાજ થયાં છે. આમ ડિઝાઈન બદલવાના કારણે પાલિકાને 123મો બ્રિજ
બનાવવા માટે વધુ નવ કરોડ રૃપિયા ચુકવવા પડશે. આ ઉપરાંત કન્સલટન્ટની કામગીરીમાં પણ ફેરફાર
કરવામા આવ્યા હોવાથી તેને પણ ટેન્ડરની  શરત
મુજબ ૪૨ લાખ રૃપિયા ચુકવવા પડશે. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!