[ad_1]

જામનગર, તા. 13 ડિેસેમ્બર 2021 સોમવાર
જામનગર મહાનગરપાલિકાની સમર્પણ સર્કલ નજીક આવેલી જગ્યામાં આજે સવારે ચાર ટ્રેક્ટર ચાલકો ગેરકાયદે રીતે કેરણ નાખવા માટે આવ્યા હતા. જે ચારેય ટ્રેક્ટર મહાનગરપાલિકાએ જપ્ત કરી લીધા છે, અને દંડકીય કાર્યવાહી હાથ ધરી છે.
જામનગરમાં સમર્પણ ઓવરબ્રીજ નજીક આવેલી મહાનગરપાલિકાની ખુલ્લી જગ્યા મા જુદી-જુદી બે પાર્ટીના ચાર ટ્રેક્ટર ચાલકો કેરણ ભરીને ગેરકાયદે રીતે ઠાલવવા માટે આવ્યા હતા.
જે અંગેની મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાને જાણકારી મળી જતાં ચારેય ટ્રેક્ટર ને જપ્ત કરી દેવામાં આવ્યા છે, અને મહાનગરપાલિકાની કચેરી માં મૂકી દેવાયા છે. જે ટ્રેક્ટર ના માલિકો સામે દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
[ad_2]
Source link






