ખિસકોલી સર્કલ પાસે દારૃ વેચતા સાળી – બનેવી પકડાયા

On: November 30, 2021 9:12 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

  વડોદરા,માંજલપુર ખિસકોલી સર્કલ પાસે વિદેશી દારૃનું વેચાણ કરતા સાળી અને બનેવીને માંજલપુર પોલીસે ઝડપી પાડયા  હતા.પોલીસે ૨.૪૦ લાખનો શરાબ કબજે લીધો છે.પોલીસે વડસર ગામમાંથી પણ દારૃના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડયો છે.

માંજલપુર  પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગઇકાલે  વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો.તે દરમિયાન કલાલિ બ્રિજ પાસે આવતા માહિતી મળી હતી કે,ખિસકોલી સર્કલ પાસે જય સંતોષી વુડાના મકાનમાં રહેતી અનિતા કાળીદાસ પરમાર ઘરમાં વિદેશી દારૃનો જથ્થો લાવી છે.અને છૂટકમાં વેચાણ કરે છે.જેથી,પોલીસે ઉપરોક્ત સ્થળે દરોડો પાડયો હતો.પોલીસે તેના ઘરમાં તપાસ કરતા વિદેશી દારૃ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે અનિતાની  પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે,નજીકમાં રહેતા તેના બનેવીના ઘરમાં પણ દારૃ અને બિયરનો જથ્થો સંતાડી રાખ્યો છે.જેથી,પોલીસની ટીમે ઉપરોક્ત સ્થળે પણ તપાસ કરતા રમેશ ચીમનલાલ પરમાર હાજર મળી આવ્યો હતો.તેના ઘરમાંથી પણ દારૃ મળી આવ્યો હતો. પોલીસે દારૃની ૮૭૩ બોટલ કિંમત  રૃપિયા ૨.૨૬ લાખ તથા બિયરના ૧૪૧ ટીન કિંમત  રૃપિયા ૧૪,૧૦૦ ના મળી આવ્યા હતા.પોલીસે ૨.૩૦ લાખનો મુદ્દામાલ  કબજે કર્યો છે.અનિતાએ પોલીસને જણાવ્યું હતું કે,આ દારૃનો જથ્થો કલાલીના રાવજી રતનસિંહ રાજપૂત પાસેથી લાવી હોવાનું કબૂલ્યું હતું.જેથી,પોલીસે  રાવજીને વોન્ટેડ જાહેર કર્યો છે. 

જ્યારે અન્ય એક બનાવમાં માંજલપુર પોલીસે મળેલી માહિતીના આધારે વડસર ગામ શિવદાસ સોસાયટીમાં રહેતા મનોજ ઉર્ફે મનિષ ભૂતપસિંહ સોલંકીના ઘરના કંપાઉન્ડમાંથી વિદેશી દારૃની ૬૦ બોટલ તથા બિયરના ૯૬ ટીન કબજે લીધા હતા.પોલીસની પૂછપરછમાં મનોજ સોલંકીએ જણાવ્યું હતું કે,મારા મિત્ર અર્જુન મારવાડીએ લગ્નની સિઝનમાં વેચાણ કરવા માટે દારૃ મંગાવ્યો હતો.પોલીસે બંને સામે  ગુનો દાખલ કરી  કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

Ajay’s Cafe ફૂડથી આગળ વધીને ચેસ દ્વારા પણ ફેલાવી રહ્યું છે ‘હેપ્પી વાલી ફીલિંગ’

કપરાડાની પૂજ્ય મોટા હાઈસ્કૂલ(માની)ના તેજસ્વી વિદ્યાર્થીઓએ કર્યો હવાઈ પ્રવાસ, દ્વારકાધીશના દર્શનનો મળ્યો લ્હાવો

ક્યાં એક તરફ મોંઘી દાટ મર્સીડીઝ કાર માં નીકળતી વર યાત્રા ને ક્યાં સંસ્કૃતિ ને બચાવવાં માટે નીકળતી બળદ ગાડાં માં નીકળેલી જાન.નો ઠાઠ..

પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત 19 જૂને રાષ્ટ્રીય કાર્યક્રમ, વાપીમાં રાજુ શ્રોફ ઓડિટોરિયમ ખાતે યોજાશે વિશેષ કાર્યક્રમ

ધરમપુર વિલ્સન હિલ ખાતે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ અને આદિજાતિ વિકાસ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે વૃક્ષારોપણ કરાયું

ધરમપુર આસપાસની નદીઓમાં બેફામ રેતી ખનન સામે કાર્યવાહી, માત્ર ચાર ટ્રક જપ્ત થતા અનેક સવાલો

error: Content is protected !!