[ad_1]

ભાવનગર, તા. 15 ફેબ્રુઆરી 2022 મંગળવાર
ભાવનગર પોલીસ બેડામાં શોકનો માહોલ સર્જાયો છે. ત્રણ દિવસ પૂર્વે ચોરીના કેસની તપાસમાં દિલ્હી ગયેલા ભરતનગર પોલીસ સ્ટેશનના ચાર પોલીસ કર્મચારીના રોડ અકસ્માતમાં મુત્યુ પામ્યા છે.
આ ચારેય પોલીસ જવાનો ચોરી કેસની તપાસમાં જઈ આરોપીને સાથે લઇ ભાવનગર આવી રહ્યા હતા ત્યારે રાજસ્થાન ના જયપુર પાસે એક્સિડન્ટ થતા મૃત્યુ પામ્યા છે.
11 વર્ષ પૂર્વે આવી જ એક ચકચારી ઘટના બની હતી. NCB, SOG ના ચાર પોલીસ કર્મચારી ભૂપત બહારવટિયાના દિકરાને તપાસ અર્થે સાથે લઈને ગયા હતા તે દરમિયાન વટામણ અને તારાપુર રોડ પર ટ્રક સાથે પોલીસની ગાડી અથડાતા અકસ્માતમાં ચારેય પોલીસ કર્મચારીના મોત નીપજ્યા હતા.
ભાવનગર પોલીસ પરિવારના મૃત્યુ પામેલા જવાનો
1. શક્તિસિંહ યુવરાજ સિંહ ગોહિલ ભીકડા
2. ભીખુભાઈ અબ્દુલભાઈ બુકેરા
3. ઇરફાનભાઇ આગવાન
4.મનુભાઇ બામભાણીયા
[ad_2]
Source link






