અમદાવાદમાં બે દિવસમાં કોરોનાના કેસમાં ૫૩%નો ઘટાડો

On: January 25, 2022 1:51 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ,સોમવાર

અમદાવાદમાં છેલ્લા
બે દિવસથી કોરોનાના કેસમાં રાહતજનક ઘટાડો થઇ રહ્યો છે. શનિવારે અમદાવાદમાં ૮૩૩૨ નવા
કેસ નોંધાયા હતા અને જેની સરખામણીએ સોમવારે ૪૪૪૧ કેસ સામે આવ્યા હતા. આમ, બે દિવસમાં
જ અમદાવાદમાં કોરોનાના દૈનિક કેસમાં ૫૩%નો ઘટાડો નોંધાયો છે.

અમદાવાદ જિલ્લામાં
૧૭ જાન્યુઆરીએ ૨૪૦૯૧ એક્ટિવ કેસ હતા અને તે હવે બમણાથી વધુ વધીને ૫૨,૨૩૧ થઇ ગયા છે.
પરંતુ રાહતની વાત છેલ્લા બે દિવસથી કોરોનાના કેસમાં થઇ રહેલો નોંધપાત્ર ઘટાડો છે. અમદાવાદમાં  હાલ ૫૨ હજારથી વધુ એક્ટિવ કેસ સામે હોસ્પિટલમાં
સારવાર લઇ રહેલા દર્દીઓ ૬૪૦ છે. આમ, હોસ્પિટલમાં સારવાર લેવી પડે તેવા દર્દીઓનું પ્રમાણ
હજુ ૧.૫૦% થી ઓછું. કોરોનાના ૯૮.૫૦ દર્દીઓ હળવા લક્ષણ ધરાવે છે અને હોમઆઇસોલેશનથી જ
સાજા થઇ રહ્યા છે.

ખાનગી હોસ્પિટલોમાં
૩૪૬, એસવીપીમાં ૧૯૧ અને સિવિલમાં ૧૦૩ દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યા છે. આ પૈકી ખાનગી
હોસ્પિટલોમાં ૧૮૫ દર્દી આઇસોલેશનમાં, ૧૦૬ દર્દી, એચડીયુમાં, ૩૩ દર્દી આઇસીયુ-વેન્ટિલેનટર
વિનામાં જ્યારે ૨૨ દર્દી વેન્ટિલેટર હેઠળ છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!