Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

જામનગર: જોડીયામાં 62 વર્ષ થયા પંચાયતી રાજ પછી પણ પાણીના પ્રશ્ને પ્રજાની કમનશિબી

On: March 24, 2022 6:27 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– પંચાયતી રાજના છ દાયકાઓ પછી પણ પ્રજાને સપ્તાહમાં એક વાર અને તે પણ ડહોળું પાણી વિતરણ

જામનગર,તા.24 માર્ચ 2022,ગુરૂવાર 

જામનગર જિલ્લાના જોડીયામાં છેલ્લા 62 વર્ષથી પંચાયતી રાજ ચાલુ છે, પરંતુ જોડીયા ની પ્રજાની કમનસીબી એ છે કે, છ દાયકાઓ પૂરા થઈ ગયા હોવા છતાં પણ હજુ સુધી જોડીયા ટાઉનને સપ્તાહ માત્ર એક દિવસ અને તે પણ એકદમ ડહોળું પાણી વિતરણ થઈ રહ્યું છે. ચૂંટણી સમયના ઠાલા વચનોનો ભાર ઝીલતી જોડિયાની પ્રજા દૈનિક અને શુદ્ધ પાણીને ઝંખી રહી છે.

જામનગર જિલ્લાના જોડિયામાં છેલ્લા 62 વર્ષથી પંચાયતીરાજની સ્થાપના થઈ છે, અને જોડીયાની ગ્રામ પંચાયત દ્વારા વહીવટ ચલાવવામાં આવે છે, પરંતુ જોડિયાની પ્રજાની કમનસીબી એ છે, કે છેલ્લા છ દાયકામાં પંચાયતના કોઈપણ શાસકોએ પ્રજાને સ્વચ્છ અને દૈનિક પીવાનું પાણી આપી શક્યા નથી. જોડીયા ગ્રામ પંચાયતના ઇતિહાસમાં આજ સુધી પ્રજાને એક પણ દિવસ દૈનિક ધોરણે પાણી મળ્યું નથી, અને મળે છે તો આઠ-દસ દિવસે એકાદ વાર! અને તે પણ ઊંડ ડેમનું ડહોળું, કે જે લોકોને પીવા માટે યોગ્ય નથી. તેમ છતાં પણ પંચાયત દ્વારા ડેમનું ડહોળું પાણી વિતરણ કરાઈ રહ્યું છે.

જોકે જોડીયાની ગ્રામ પંચાયત વર્ષોથી આર્થિક સંકટનો સામનો કરી રહી છે. આવા સંજોગોમાં ફિલ્ટર પ્લાન્ટ સ્થાપિત કરી શક્યું નથી. ખાસ કરીને ઉનાળામાં પાણીની અછત હોય છે તેવા સમયે પાણી પુરવઠા નિગમ દ્વારા માત્ર અમુક સમય માટે નર્મદાનું પાણી કટકે કટકે આપવામાં આવે છે. જે માટે નર્મદાનો જથ્થો ઓછો પડતો હોય છે.

પંચાયત દ્વારા ડહોળું પાણી વિતરણ સામે જોડીયાની પ્રજા અને સરકારી તંત્ર મૌન ધારણ કરીને બેઠા છે. ચૂંટણીના સમયમાં રાજકીય નેતાઓ જોડીયાને દૈનિક પાણી અને સ્વચ્છ પાણી આપવાના માત્ર વાયદાઓ કરે છે, પરંતુ છ દાયકા વીતી ગયા છતાં હજુ સુધી તેમાં કોઈ બદલાવ આવ્યો નથી, અને જોડીયાની પ્રજા દૈનિક તેમજ સ્વચ્છ પાણીને ઝંખી રહી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!