Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

વડોદરા કોર્પોરેશનમાં મિલકતવેરાની આવકનો 484.57 કરોડનો લક્ષ્યાંક પૂર્ણ થવાના આરે

On: March 24, 2022 6:07 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– અત્યાર સુધીમાં 483. 71 કરોડની વસુલાત

– વેરો વસૂલ કરવા અત્યાર સુધીમાં 7777 સીલ માર્યા 

વડોદરા,તા.24 માર્ચ 2022,ગુરૂવાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મિલકત વેરાનો ચાલુ વર્ષનો લક્ષ્યાંક પૂર્ણ થવાના આરે છે. મિલકત વેરાનો બજેટમાં લક્ષ્યાંક વધારીને 484 .57 કરોડનો કરવામાં આવ્યો છે ,અને તેની સામે અત્યાર સુધીમાં આશરે 483.71 કરોડની આવક મળી ચૂકી છે.

જેમાં મિલકત વેરાની આવક 396.11 કરોડ, પ્રોફેશનલ ટેક્સની 56.88 કરોડ, વિહિકલ ટેક્સની 29. 27 કરોડ અને મીટર જોડાણ વાળા પાણી કનેક્શનની 1.45 કરોડની આવકનો સમાવેશ થાય છે. કોર્પોરેશન દ્વારા તારીખ 6 જાન્યુઆરી થી અત્યાર સુધીમાં 7777 કોમર્શિયલ મિલકતો સીલ કરી છે. જેમાં ઘણી બંધ મિલકતોનો પણ સમાવેશ થાય છે. બંધ મિલકતનો વેરો બાકી હોય અને સીલ મારેલું હોવાથી તે વેચી શકવાનો પણ પ્રયાસ થઇ શકતો નથી. કોર્પોરેશને અત્યાર સુધીમાં જે મિલકતો સીલ કરી છે તેમાંથી જે મિલકતનો વેરો ભરાઈ જાય છે, તેનું સીલ બાદમાં ખોલી નાખવામાં આવે છે.ગઈકાલે જ કોર્પોરેશન એ 200 મિલ્કતો સીલ કરી હતી. જ્યારે ગઈકાલની વસુલાત 2.97 કરોડની હતી. હવે ચાલુ નાણાકીય વર્ષ પૂરું થવા આડે બાકી રહેલા એક અઠવાડિયામાં લક્ષ્યાંક પૂર્ણ કરવા પ્રયાસ તેજ કરવામાં આવ્યા  છે. રહેણાંક મિલકતનો વેરો બાકી હોય તો કોર્પોરેશન સીલ કરતું નથી. કોર્પોરેશને બાકી વેરાની વસૂલાત માટે પ્રોત્સાહક વેરા વળતર યોજના પણ અમલમાં મૂકી છે. જે 31 માર્ચ સુધી અમલી રહેશે.

વેરા વળતરનો લાભ બાકી રહેલા દિવસોમાં લોકો લઇ શકે તે માટે કોર્પોરેશને રિબેટ નોટિસો છપાવી છે, અને તે બાકીદારોને મોકલવામાં આવી છે. જેમાં બાકીદારોને રીબેટ  યોજનાનો લાભ લઇ વેરો ભરી દેવાનું કહેવાય છે. બાકી વેરો વસૂલ કરવા માટે કોર્પોરેશન દ્વારા અત્યાર સુધીમાં 18 હજારથી પણ વધુ વોરંટ ઇસ્યુ કરાયા છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે વર્ષ 2022-23 ના વર્ષમાં મિલકતવેરા આવકનો લક્ષ્યાંક વધારીને 503 કરોડનો કરવામાં આવ્યો છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!