[ad_1]

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,બુધવાર
રૃપિયા ૭૬૨ કરોડના બોગસ બિલિંગની મદદથી રૃા. ૧૩૭ કરોડની ગેરકાયદે વેરાશાખ મેળવી લીધા પછી ભાવનગરના નાસતાફરતા આરોપી નિલેશ નટુભાઈ પટેલની ધરકપડ કરવામાં આવી છે. એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વૉડની મદદથી તેની ધરપકડ કરવામાં આવી છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કચેરીએ મોબાઈલ સ્ક્વૉડની મદદથી જૂન ૨૦૨૧માં મો બે વાહન અટકમાં લેવામાં આવ્યા હતા. આ વાહનમાંથી મળી આવેલો માલ જે કંપનીનો હોવાનું દર્શાવવામાં આવ્યું હતું તે કંપની જ બોગસ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.
આ ઘટના બન્યા પછી જુલાઈ ૨૦૨૧માં માધવ કોપર લિમિટેની ફેક્ટરી તથા ધંધાના સ્થળ તેમ જ તમામ ડિરેક્ટર્સના નિવાસ સ્થાનો પર દરોડા પાડયા હતા. દરોડા દરમિયાન અમદાવાદના અફઝલ સવજાણીને ત્યાંથી મોટે પાયે ડિજિટલ ડેટા મળી આવ્યા હતા. તેમાાંથી બોગસ બિલ બનાવનારાઓ અને બોગસ બિલ મેળવનારી કંપનીઓ તથા તેમની વચ્ચેના નાણાંકીય વહેવારોની વિગતો મળી આવી હતી.
માધવ કોપર લિમિટેડે રૃા. ૭૬૨ કરોડના બોગસ બિલ બનાવીને રૃા. ૧૩૭ કરોડની ગેરકાયદે વેરાશાખ મેળવી હતી. તેથી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કચેરીએ કંપનીના પ્રમોટર નિલેશ નટુભાઈ પટેલની કંપનીની તથા ફેક્ટરીની જમીન, બેન્ક એકાઉન્ટ્સ, માલ-સ્ટોક, પ્લાન્ટ અને મશીનરી તથા અન્ય સ્થાવર જંગમ મિલકતો પર ટાંચ લગાડી દીધી હતી. તેની ખેતીની જમીનને પણ ટાંચલગાડવામાં આવી હતી.
આ કૌભાંડમાં અગાઉ અફઝલ સવજાણી, મહમ્મદ અબ્બાસ રફીકઅલી મેઘાણીની ધરપકડ કરવામાં આવેલી હતી. પરંતુ નિલેશ નટુભાઈ પટેલ ફરાર થઈ ગયો હતો. આ ગાળામાં નિલેશ પટેલે આગોતરા જામીન માટે સુપ્રીમ કોર્ટમા કરેલી અરજીને નકારી કાઢવામાં આવી હતી. ત્યારબાદ નિલેશ પટેલે સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી. સેશન્સ કોર્ટે પણ તેની જામીન અરજીને ફગાવી દીધી હતી.
ત્યારબાદ ૧૯મી ફેબુ્રઆરીએ તે અમદાવાદના થલતેજ વિસ્તારમાં હોવાની માહિતી મળતા તેઓ થલતેજ વિસ્તારમાં દોડી ગયા હતા. થલતેજમાં તેની કારને આંતરવામાં આવતા નિલેશ પટેલ અધિકારીને ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો. તેને માટે એલિસબ્રિજ પોલીસસ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. ત્યારબાદ તેને ઝડપી લેવા માટે એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વૉડની મદદ લીધી હતી. એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વૉડે આજે તેની ધરપકડ કરી લીધી હતી. તેને મેટ્રો કોર્ટમાં રજૂ કરીને ૧૪ દિવસના કસ્ટોડિયન ઇન્ટ્રોગેશન કરવા દેવાની માગણી કરવામાં આવી છે.
ગુજરાતમાં બિલિયા રાજાઓને પકડવા સતત સક્રિય હોવાનો દાવો સરકાર કરતી હોવા છતાંય બિલિયા રાજાઓના બોગસ બિલિંગ અટકતા નથી. કારણ કે જીએસટી વિભાગના અધિકારીઓ ગુજરાતમાં બિલિયા રાજાઓને બિલ બનાવીને આવક ઊભી કરવાનું શીખવાડમાં સક્રિયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. તેમની સંડોવણીના આક્ષેપ થયા ત્યારબાદ ભાવગરની આખી કચેરીના તમામ અધિકારીઓની તેનાથી બહારના શહેરોમાં ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. તેમ જ બે થી ત્રણ અધિકારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે. અધિકારીઓની સંડોવણીને કારણે ચોરીને છાવરવાનો પ્રયાસ પણ એન્ફોર્સમેન્ટ ઓફિસર અન ેસ્પેશિયલ કમિશનર દ્વારા કરવામાં આવી રહ્યો છે. ભાવનગરમાં અધિકારીઓની સંડોવણી બહાર આવ્યા પછી કોઈને પણ આકરી સજા કરવામાં આવી નથી.
સ્થળ તપાસ બરાબર ન કરનારા અધિકારી સામે પગલાં લો
જીએસટીનું રજિસ્ટ્રેશન આપતી વેળાએ સંબંધિત અધિકારીઓએ સ્થળ તપાસ કરવાની હોય છે. આ સ્થળ તપાસ કરવામાં પણ વેટ ઉતારવામાં આવી રહી છે. પરિણામે ઑફિસના સાચા લોકેશન અધિકારીઓ દરોડા પાડવા જાય ત્યારે ત્યાં કોઈ જ મળતા પણ ન હોવાનું જોવા મળે છે. સ્થળ તપાસ કરનારા અધિકારીઓ સાથે નાણાંકીય વહેવાર થઈ જતો હોવાથી તેઓ ખોટા રિપોર્ટ આપી દે છે. બોગસ એડ્રેસ પર રજિસ્ટ્રેશન આપવાની કામગીરી કરનારા અધિકારીઓ સામે કમિશનર અને સ્પેશિયલ કમિશનરે પગલાં લીધા હોય તેવા કિસ્સાઓ બનતા નથી. આમ તપાસ અધિકારીઓ અને સ્થળ તપાસ કરનારા અધિકારીઓ બિલિયા રાજાઓના અબજોની ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટના કૌભાંડ માટે જવાબદાર છે.
[ad_2]
Source link






