[ad_1]

ટિકિટ ફાળવણીમાં કોંગ્રેસની નેતાની જીતથી કોંગ્રેસમુક્ત સુરતનું ભાજપનું સપનું પુરુ
થયું
સુરત
મ્યુનિ.ની ગત
ટર્મ પહેલાં પાસના સપોર્ટના કારણે કોંગ્રેસની બેઠક 11 માંથી વધીને 36 થઈ હતી. પરંતુ
2021ની ચુંટણીમાં ભાજપનો આક્રમક વિરોધ કરતાં પાસના નેતાઓએ કોંગ્રેસ પાસે કેટલીક ટિકિટની
માંગણી કરી હતી પણ કોંગ્રેસના નેતા તુષાર ચૌધરીએ કોંગ્રેસના કાર્યકરને જ ટિકિટ આપવા
સૂચના આપી હતી. તે વાતચિતનો ઓડિયો વાયરલ થયો હતો. ટિકિટ ફાળવણી બાદ પાસના નેતા અલ્પેશ
કથીરિયાએ આક્ષેપ કર્યો હતો કે, કોંગ્રેસે પાસ સાથે ગદ્દારી કરી છે. સિટીંગ કોર્પોરેટરો
વિજય પાનસુરીયા અને વિલાસ ધોરાજીયાને ટિકિટ નહી આપી છેલ્લી રમત રમ્યું છે. તે પહેલા
પાસના ધાર્મિક માલવીયાએ કોંગ્રેસનું મેન્ડેટ હોવા છતા ઉમેદવારી ફોર્મ ભર્યું નહોતું.
[ad_2]
Source link






