[ad_1]

– ઉધના બીઆરસી સ્વામિનારાયણ મંદિરની સામે
– વર્ષોથી બંધ જે.બી.ખરવર મિલમાં 35-40 વર્ષની ઓડીશાવાસી મહિલાને સોમવારે રાતે લાવી મોઢે પથ્થર મારી હત્યા કરાયાની આશંકા
સુરત, : સુરતના ઉધના બીઆરસી સ્વામિનારાયણ મંદિરની સામે આવેલી અને વર્ષોથી બંધ જે.બી.ખરવર મિલના અવાવરું મકાનમાંથી નવોઢા જેવી લાગતી મહિલાની હત્યા કરેલી લાશ આજે સવારે મળી આવી હતી. 35 થી 40 વર્ષની અને ઓરિસ્સાવાસી લાગતી મહિલાને બંધ મિલમાં ગતરાત્રે લાવી મોઢા પર પથ્થર મારી હત્યા કરાઈ હોવાની આશંકા છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરત નવસારી મેઈન રોડ ઉધના બીઆરસી સ્વામિનારાયણ મંદિરની સામે આવેલી અને વર્ષોથી બંધ જે.બી.ખરવર મિલમાં નશાના બંધાણીઓ રોજ નશો કરવા જાય છે. આજે સવારે એક નશેડી યુવાન અંદર અવાવરું મકાનમાં નશો કરવા માટે ગયો ત્યારે ત્યાં એક મહિલાની લાશ જોતા બુમાબુમ કરી હતી. તેની બૂમો સાંભળી અન્ય નશેડીઓ ભેગા થયા હતા અને થોડીવારમાં ત્યાં લાશ હોવાની વાત ફેલાતા ઉધના પોલીસ સ્થળ પર પહોંચી હતી.પોલીસને ત્યાં અંદાજીત 35 થી 40 વર્ષની, લાલ સાડી પહેરેલી તેમજ શરીરે પીઠી લગાવેલી મહિલાની લાશ અને તેની નજીક કપડાં ભરેલી એક બેગ મળી હતી.
મહિલાને મોઢાના ભાગે પથ્થર મારી હત્યા કરાઈ હોવાનું લાગતા પોલીસે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડયો હતો.પોલીસની પ્રાથમિક તપાસમાં ઓરિસ્સાવાસી લાગતી મહિલાને લગ્ન કરીને સુરત લાવી તેની હત્યા કરવામાં આવી હોય તેમ જાણવા મળ્યું હતું. ઉધના પોલીસે મૃતક મહિલાની ઓળખ માટે તજવીજ હાથ ધરી છે.
[ad_2]
Source link






