[ad_1]

જામનગર, તા. 07
ભારતરત્ન સન્માનિત લતા મંગેશકરનું ગઈકાલે 92 વર્ષની વયે બિમારી પછી નિધન થયું હોવાથી ભારત સરકાર દ્વારા બે દિવસ માટે નો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. જે અનુસાર જામનગરમાં પણ શોક પાડવામાં આવ્યો હતો.
જામનગરની જિલ્લા કલેકટર કચેરીએ આજે સોમવારે ઉઘડતી ઓફિસે રાષ્ટ્રીય ધ્વજને અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો છે, અને લતા દીદી ને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે.
[ad_2]
Source link






