[ad_1]

વડોદરા, તા. 03
કરજણ પોલીસ ના કોન્સ્ટેબલ સહિત કરજણ પોલીસ દ્વારા વડોદરા શહેરના ધારાશાસ્ત્રી સાથે ઘર્ષણને પગલે હેડકોન્સ્ટેબલ સામે પગલાં ભરવાની માંગ સાથે બરોડા બાર એસોસિએશન દ્વારા વડોદરા જીલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
તારીખ30-12-21ની રાત્રે આઠ વાગ્યે શહેરના જાણીતા ધારાશાસ્ત્રી નિરજ જૈન જ્યારે પોતાની ઓફિસમાં કરજણ તાલુકાના ખંધા ગામની એક પરણિતા અસીલ કે જે પોતાના પતિ વિરુદ્ધ કલમ498 અંતર્ગત ફરિયાદ માટે વકીલ સાથે ચર્ચા કરી રહી હતી ત્યારે કરજણ મીયાગામ પોલીસ ચેકપોસ્ટ ના હેડકોન્સ્ટેબલ પ્રવિણસિંહ બારૈયા કોઇપણ પ્રકારની સહમતી, વોરંટ વિના એડવોકેટ નિરજ જૈનની ઓફિસમાં ઘૂસી ગયા હતા અને પરણિતાને હું તારી ધરપકડ કરવા આવ્યો છું કરજણ પોલીસ મથકે આવવું પડશે ત્યારે એડવોકેટ નિરજ જૈને તેમને આ શું છે તે પૂછતાં હેડકોન્સ્ટેબલ દ્વારા એડવોકેટ નિરજ જૈનની સાથે જીભાજોડી કરી તેઓને અપહરણની સંડોવણીમા સામેલ કરી દેવાની ચિમકી ઉચ્ચારી હતી જે અંગેના વકીલ આલમમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને આ હરકત વિરુદ્ધ વકીલોમા આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે આજરોજ બરોડા બાર એસોસિએશન દ્વારા પ્રમુખ નલીન ભટ્ટની આગેવાનીમાં વડોદરા જીલ્લા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર પાઠવી હેડકોન્સ્ટેબલ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા રજૂઆત કરવામાં આવી હતી.
[ad_2]
Source link






