પાટણ જિલ્લા પંચાયત કચેરીમાં રસીના બન્ને ડોઝ લેનારને જ પ્રવેશ

On: January 1, 2022 11:45 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

પાટણ તા.01

ઓમિક્રોનના નવા વેરિઅન્ટની દહેશતની સાથે કોરોનાના કેસમાં
સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સંક્રમણની પરિસ્થિતિને નિયંત્રિત કરવા પાટણ જિલ્લા
પંચાયત કચેરીમાં આવતા મુલાકાતીઓ પાસે વેક્સિનના બન્ને ડોઝનું સર્ટી હોય તો જ
પ્રવેશવા દેવામાં આવશે તેવો પરીપત્ર કરવામાં આવ્યો છે.

પાટણ જિલ્લાના તમામ આરોગ્ય વિભાગોને આ અંગે સૂચનાઓ આપવામાં આવી
છે. સંક્રમણને નિયંત્રિત કરવા જો કોઇપણ વ્યકિતએ રસીકરણના બે ડોઝ પૂર્ણ કર્યા ન હોય
તેઓને રસીના ડોઝ લેવા જાહેર પરીપત્ર કરવામાં આવ્યો છે. તો સરકારી કચેરીઓમાં પણ
મુલાકાતીઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પાટણ જિલ્લા પંચાયતની કચેરી ખાતે
શનિવારે જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓની સૂચના અને પરીપત્ર અનુસંધાને અત્યંત
આવશ્યક ન હોય તે સિવાયના મુલાકાતીઓના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે તેવું
સાઇનબોર્ડ લગાવવામાં આવ્યું છે. જીલ્લા પંચાયત કચેરીના મુખ્ય પ્રવેશદ્વાર પાસે બે
વોચમેન સહિત અન્ય એક કર્મચારીને ફરજ પર મુકી કચેરીમાં પ્રવેશતા તમામ વ્યકિતઓએ
રસીના બે ડોઝ લીધા છે કે કેમ તે અંગેની તપાસ કર્યા બાદ જ અરજદાર કે મુલાકાતીને
પ્રવેશ આપવામાં આવ્યો હતો. આમ કોરોના સંક્રમણને નિયંત્રિત કરવા માટે સરકારે જાહેર
કરેલા પરીપત્ર અનુસંધાને જિલ્લા વહીવટીતંત્ર એકશન મોડમાં આવ્યું છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!