Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી વિદેશપ્રવાસે જનારા સૌપ્રથ સંત હતા

On: December 18, 2021 6:33 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ,શનિવાર

શ્રી સ્વામિનારાયણ
મંદિર-કુમકુમ, મણિનગરના મહંત-સાધુતાની મૂર્તિ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી ૧૦૧ વર્ષની
ઉંમરે શનિવારે બપોરે બે કલાકે મૂર્તિના સુખે સુખિયાં થયા છે. તેમના અંતિમ દર્શન સવારે
૮ઃ૩૦થી ૧૦ કુમકુમ મંદિરમાં જ્યારે અંતિમ સંસ્કાર વિધિ કુમકુમ સેવા કેન્દ્ર-હીરાપુર
ખાતે છે.

શાસ્ત્રી આનંદપ્રિયદાસજીએ
મનુષ્ય લીલા સંકેલી લેતાં ભક્તો શોકમાં ગરકાવ થયા છે. કુમકુમ મંદિરમાં આવતીકાલે સવારે
૭થી ૮ઃ૩૦ દરમિયાન પૂજન-અર્ચન-અભિષેક વિધિ કરાશે. 
સવારે ૮ઃ૩૦થી ૧૦ ભક્તો અંતિમ દર્શન કરી શકશે. સવારે ૧૦ થી બપોરે ૧૨ દરમિયાન
કુમકુમ મંદિરથી હીરાપુર સેવા કેન્દ્ર સુધી પાલખીયાત્રા યોજાશે. બપોરે ૧૨થી ૨ દરમિયાન
કુમકુમ સેવા કેન્દ્ર ખાતે દર્શન કરી શકાશે. બપોરે બે કલાકે અંતિમ સંસ્કાર વિધિ કરવામાં
આવશે. શાસ્ત્રી આનંદપ્રિયદાસજીનો જન્મ ઈ.સ. ૧૯૨૧માં કચ્છના ભારાસર ખાતે થયો હતો. ૮૦
વર્ષ અગાઉ ફાગણ સુદ ત્રીજ વિક્રમ સંવત ૧૯૯૮ના મુક્તજીવન સ્વામીબાપાએ તેમને દીક્ષા આપી
હતી.

૧૯૪૮માં તેમણે
આફ્રિકાનો પ્રવાસ કર્યો હતો. આ સાથે જ વિદેશ પ્રવાસે જનારા તેઓ સ્વામિનારાયણ સંપ્રદાયના
સૌપ્રથમ સંત બન્યા હતા. સાધુ પ્રેમવત્સલદાસજી સ્વામીએ જણાવ્યું કે, ‘અબજીબાપાના સિદ્ધાંતોના
પ્રવર્તન માટે મુક્તજીવન સ્વામીબાપા સાથે મળીને તેમણે મણિનગરમાં ૭૫ વર્ષ પહેલાં મંદિરના
પાયા નાખ્યા હતા. અનેક સત્સંગીઓ બનાવ્યા અને મંદિરો પણ સ્થાપ્યા. શાસ્ત્રો અને અનેક
સાધનામાં ભૂલા પડેલા માનવીઓને સાચા માર્ગો ચીંધીને આંત્યતિક મોક્ષની વાટ બતાવી હતી.
સ્વામિનારાયણ ભગવાનના શાશ્વત સુખમાં જોડવાના ભગીરથ કાર્યને જ તેમણે પોતાનો જીવનમંત્ર
બનાવ્યો હતો. ‘

 

 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!