[ad_1]

જામનગર તા. 18,
જામનગરમાં હર્ષદમીલની ચાલી નજીક પટેલ નગર શેરી નંબર ત્રણ માં રહેતા એક યુવાનને પાંચેક વર્ષથી કેન્સરની બીમારી હોવાથી એકાએક તબિયત લથડતાં સારવાર માટે જી.જી હોસ્પિટલ માં ખસેડાયા પછી તેનું મૃત્યુ નીપજયું છે. આ બનાવની વિગત એવી છે કે પટેલ નગર શેરી નંબર ત્રણ માં રહેતા અને પાંચ વર્ષથી કેન્સરની બીમારી થી પીડાતા ઈશ્વરભાઈ બીજલભાઈ નામના ૩૯ વર્ષના યુવાનની ગઈકાલે એકાએક તબિયત લથડી હતી, અને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે પોલીસને જાણ કરાતા સ્થિતિ એ ડીવીઝન પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
[ad_2]
Source link






