Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

અમદાવાદ રેલવે સ્ટેશને દબાણોના કારણે ટ્રાફિકજામની સમસ્યા વકરી

On: December 12, 2021 9:12 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ,તા.12 ડિસેમ્બર 2021, રવિવાર

અમદાવાદ રેલવે સ્ટેશનના એક્ઝિટ ગેટ પાસે રિક્ષા, કાર સહિતના પેસેન્જર વાહનોના અડિંગા અને ચા-નાસ્તાની લારીઓના દબાણોને કારણે ટ્રાફિકજામની સમસ્યા ગંભીર બની છે. પીકઅવર્સમાં આ રસ્તે એટલો બધો ટ્રાફિકજામ થઇ જાય છેકે સારંગપુરથી લઇને કાલુપુર સુધી વાહનોની લાંબી લાઇનો લાગી જાય છે.

રેલવે સ્ટેશનના એક્ઝિટ ગેટ પાસે રિક્ષાઓનું પાર્કિંગ બની ગયું છે, ખાનગી અને પેસેન્જર કાર ચાલકો પણ રોડની બંને સાઇડ વાહન પાર્ક કરીને ઉભા રહી જાય છે.  વળી હજારોની સંખ્યામાં મુસાફરોની અવર-જવરના કારણે મેળા જેવું વાતાવરણ રહે છે. રેલવે  સ્ટેશન પરિસરમાંથી જ બીઆરટીએસ બસ પણ આવતી હોવાથી બસો પણ સરળતાથી નીકળી શકતી નથી.

સાંકળો રોડ, ગેરકાયદે પાર્કિંગ, લારી-ગલ્લાના દાબણો અને વાહનોની રાહ જોતા મુસાફરોના કારણે આખો દિવસ ટ્રાફિકજામની સ્થિતિ રહે છે. સવારે, બપોરે , સાંજે અને રાત્રે પણ વાહનોની લાંબી લાઇનો જોવા મળે છે. ટ્રાફિક પોલીસ તમાશો જુએ છે, ટ્રાફિક નિયમન અને રોડ પર પાર્કિંગ રોકવામાં તેઓ નિષ્ફળ રહે છે. જેના કારણે હજારો લોકો પરેશાન થાય છે. 

એક્ઝિટ ગેટ પાસે રિક્ષાઓ જ્યા ંપાર્ક કરી છે ત્યાં ગંદકી પણ જોવા મળે છે. જાહેરમાં કેટલાક લોકો  લઘુશંકા કરતા હોવાથી ગંદકી, દુર્ગંધ જોવા મળે છે. બહારગામથી દેશભરમાંથી આવતા મુસાફરો આ દ્રશ્ય જોઇને શહેરની ગંદી છાપ મનમાં લઇને જાય છે. કરોડો રૂપિયાનો ખર્ચો કરીને રેલવે સ્ટેશનને હેરિટેજ લુક અપાયો છે. પરંતુ સફાઇ, ટ્રાફિક નિયમનમાં તેઓ માત ખાઇ ગયા છે. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!