અંકલેશ્વરના કાપોદ્રા ગામમાં સાત શખ્સોએ યુવાનને રહેંસી નાંખ્યો

On: December 4, 2021 6:38 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

ભરૂચ: એક વર્ષ પહેલા છોકરી બાબતે થયેલા ઝઘડાની રીસ રાખી કાપોદ્રા ગામમાં ખુની ખેલ ખેલાયો હતો.નોકરી પરથી પરત આવેલા શખ્સ પર ગામના 7 લોકોએ જીવલેણ હુમલો કર્યો હતો. યુવાનને તેના જ ઘરમાં ઈંટ માર્યા બાદ ઉપરા છાપરી ચપ્પુનાં ઘા ઝીંકી હત્યા કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાય છે.

બનાવની મળતી વિગત અનુસાર અંકલેશ્વર તાલુકાના રવિન્દ્રા ગામનો મુળ વતની સંજય શાંતિલાલ વસાવા ઉ.વ-25 હાલમાં કાપોદ્રા ગામમાં ભાડાના મકાનમાં રહે છે. ગઈ કાલે તે નોકરી પરથી આવ્યા પછી જમ્યા પછી માવો ખાવા ગયો હતો. માવો ખાવા આવ્યા બાદ ઘરે આવીને બેઠો એટલામાં  ગામના જ 7 લોકો તેના ઘરે ધસી આવ્યા હતાં. તેમણે સંજયને માથામાં ઈંટ મારી દીધી હતી. તેમજ ઉપરાછાપરી ચપ્પુના ઘા ઝીંકી તેને  લોહીલુહાણ હાલતમાં ઘરની બહાર ફેંકી દઈ ભાગી છુટ્યા હતાં. ઈજાગ્રસ્ત સંજયને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ સારવાર મળે એ પહેલા તેનું મોત નીપજ્યુ હતું. સંજયના ભાઈના જણાવ્યા અનુસાર એક વર્ષ પહેલા છોકરી બાબતમાં ઝઘડો થયો હતો. તેની રીસ રાખી હત્યારાઓએ ખુન કર્યુ છે. પોલીસે આ મામલે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!