ધરમપુર માં 54 ગ્રામ પંચાયત ની ચૂંટણી જોરશોર પર છે ત્યારે ધરમપુર તાલુકા આ મરગમાળ ગામે 5 ઉમેદવારો ચૂંટણી મેદાન માં સરપંચ પદ માટે ઉતર્યા છે ત્યારે દરેકે પોતાના સંપર્ક કાર્યની વોર્ડ માં શરૂઆત કરી છે ત્યારે સરપંચ પદના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવનાર રજનીકાંત ધીરુભાઈ પટેલ દ્વારા મંદિર ફળીયા માં પોતાના કાર્યાલય નો આજ થી પ્રારંભ કર્યો છે મંદિર ફળીયા માં આજે વિધિવત રીતે રજનીકાંત ભાઈ એ કાર્યાલય શુભારંભ કરાવ્યો છે જ્યાં થી ગામના વિવિધ વોર્ડ માં તેમના દવારા વિકાસ ના કર્યો અંગે પ્રચાર કાર્ય નો પ્રારંભ કરવામાં આવશે જોકે રજનીકાંત ભાઈ દ્વારા ગામના દરેક વિકાસ ના કર્યો જે વેગ આપવામાં આવશે તે માટે તેમને અત્યાર થી જ વિશેષ આયોજનો કરી દીધા છે ગ્રામજનો વિવિધ વોર્ડ માં લોકોનો પ્રતિસાદ પણ મળી રહ્યો છે હાલ તો હવે 7 તારીખે ઉમેદવારી ફોર્મ ખેંચવાની અંતિમ તારીખ છે ત્યાર બાદ જ ગ્રામ પંચાયતનું સ્પષ્ટ ચિત્ર બહાર આવશે હાલ તો તમામ ઉમેદવારો દ્વારા પ્રચાર માટે અને ખેંચવાની તારીખ ઉપર મીટ માંડી દેવામાં આવી છે
ધરમપુર મરગમાળ ગામે રજનીકાંત પટેલે જન સંપર્ક કાર્યાલય નો કર્યો શુભારંભ
By Khabar dar
On: December 6, 2021 12:22 PM











