વાપી સેલવાસ સાવર કુંડલા નવી બસનો પ્રારંભ 

On: May 25, 2023 3:51 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

સારંગપુર જનારા મુસાફરોને થશે બસ ઉપયોગી 

વાપી ડેપો દ્વારા આજ રોજ  માજી મંત્રી અને ઉમરગામ ધારાસભ્ય રમણભાઈ પાટકર વાપી ડેપો ના એ.ટી.એસ વાપી એ.ટી.આઇ જે.એ તેમજ વાપી ડેપો ના એસ ટી સ્ટાફ તેમજ મુસાફર ની વચ્ચે આજ રોજ વાપી સેલવાસ સાવરકુંડલા વાયા સારંગપુર બસ સ્લીપર કોચ નું ઉદઘાટન કરવામાં આવેલ જે બસ સેલવાસ થી 16.00 કલાકે અને વાપી થી 17.00 વાગ્યે નીકળી સારંગપુર સવારે 5.00કલાકે પહોંચશે અને સાવરકુંડલા સવારે 7.00 વાગ્યે પહોંચી સાંજે 15.30 કલાકે નીકળી 17.30 વાગ્યે સારંગપુર થી વાપી આવવા માટે ની શુવિધા પ્રાપ્ત કરવામાં આવેલ હતી અનેક હનુમાન ભક્તો દ્વારા રજૂઆત કરતા વલસાડ વિભાગીય નિયામક શ્રી એન.એસ.પટેલ દ્વારા મુસાફર ની માંગણી તેમજ હનુમાન ભક્તો ની લાગણી ને વાચા આપી આજ રોજ માન્ય માજી મંત્રી ના હસ્તે બસ ઉદ્ઘાટન કરતા વાપી.સેલવાસ.દમણ.ઉમરગામ.ભીલાડ.સરીગામ.તેમજ પારડી વિસ્તાર ના મુસાફરો માં આનંદ ની લાગણી છવાઈ ગઈ હતી અને નવા વારાયેલા વિભાગીય નિયામક શ્રી એન એસ પટેલ નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવેલ છે સાથે સાથે ત્રણ જેટલી મીની બશો પણ ચાલુ કરવામાં આવેલ છે જે બસ દાંડી.મરોલી.સરાઈ.સરીગામ.ભીલાડ .વાપી. થઈ વલસાડ અને એજ બસ એજ રૂટ ઉપર પછી દાંડી આવશે

બીજી બસ કોલક ઉદવાડા પારડી થઈ વલસાડ થઈ દમણ રૂટ ઉપર ચાલશે

ત્રીજી મીની બસ વાપી મધુબન ડેમ થી સેલવાસ .મોરખલ. વારના.બાલચોડી.નાનાપોંઢા .ધરમપુર જેવા આદિવાસી વિસ્તાર ના લોકો ને ઉપયોગી સાબિત થશે 

ગુજરાત સરકાર ના આદિવાસી વિસ્તાર માં નવી બસો આપી મુશાફર અને વિધાથી ને ખૂબ લાભ મળે તેવો અભિગમ સાર્થક થઈ રહ્યો હોઈ તેવું લાગી રહ્યું છે

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!