
ઉત્તરાયણ પ્રસંગે ગૌસેવા અને કરી અક્ષય પુણ્ય ની પ્રાપ્તિ થતી હોવાને લઈ તેમજ દાન પુણ્ય નો અનેક ઘણો મહિમા છે ત્યારે આજે વહેલી સવાર થી વલસાડ જિલ્લાની અનેક ગૌશાળામાં મોટી સંખ્યામાં લોકો સવાર થી જ ધસારો જોવા મળ્યો હતો. હિન્દુ માન્યતા મુજબ ગાય માતામાં 33 કરોડ દેવી દેવતાનો વાત છે જેને લઇ લે આજે ઉતરાયણ પર્વને લઈ તલ ગોળ ઘઉ ગૌશાળામાં ગૌમાતાને ખવડાવવા માટે મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા રાતા ખાતે આવેલ અજીત સેવા ટ્રસ્ટ સંચાલિત ગૌશાળા ની મુલાકાત વલસાડ ડીએસપી એ કરી અને ગૌ પૂજન કર્યું હતું તેમની સાથે વાપીના ડીવાયએસપી પણ હાજર રહ્યા હતા.
વાપી નજીક આવેલા રાતા ગામમાં અજીત સેવા ટ્રસ્ટ સંચાલિત ગૌશાળામાં અને ગૌવંશને રાખવામાં આવ્યા છે અનેક જગ્યા ઉપર થી કતલખાને લઈ જવાતા મૂંગા પશુઓને બચાવી લઈ તેમને રાખવા માટે રાતા ખાતે આવેલી અજીત સેવા ટ્રસ્ટ સંચાલિત રાતા પાંજરાપોળમાં રાખવામાં આવે છે. વલસાડ જિલ્લામાં ક્યાંય પણ કતલખાને લઈ જવામાં આવતા પશુઓની ગાડીઓ પકડાઈ અને તેમાંથી બચાવી લેવામાં આવેલા મોટાભાગના ગૌવંશને રાતા ખાતે આવેલી ગૌશાળામાં જ રાખવામાં આવી રહ્યા છે એ તમામનું જતન અજીત સેવા ટ્રસ્ટ દ્વારા કરાઇ રહ્યું છે ત્યારે આજે ઉત્તરાયણ પર્વને લઈને દર વર્ષની જેમ આજે પણ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગૌ પૂજન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમ દરમિયાન જૈન સમાજના શ્રેષ્ઠિઓ તેમજ જૈન સમાજના મહારાજ સાહેબ અનેક અગ્રણીઓ હાજરી આપી હતી. તો વલસાડ જિલ્લાના જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલા તેમજ વાપીના ડીવાયએસપી અને એલસીબી પીઆઇ સહિત પોલીસનો કાફલો પણ આજે આ સેવાકીય અને ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યો હતો વલસાડ જિલ્લાના પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ જૈન સમાજના પૂજ્ય ગુરુવર શ્રી રત્નભૂષણ સૂરીશ્વરજી મહારાજ સાહેબ ના આશીર્વાદ વચન મેળવ્યા હતા અને ગૌવંશની રક્ષા કાજે સદા તેવો તત્પર હોવાનું જણાવ્યું હતું આ પ્રસંગે અજીત સેવા ટ્રસ્ટના સંચાલક રાજેશભાઈ હસ્તીમલ શાહ સહિત અનેક અગ્રણીઓ જોડાયા હતા ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ ગૌશાળામાં શાસ્ત્રોત વિધિ મુજબ ગૌ પૂજન કર્યું હતું તેમજ તલ ગોળ અને મમરાના લાડુ પણ ગૌમાતા માતાને ધર્યા હતા. જિલ્લા પોલીસ અધિક્ષક નું ધાર્મિક અને પ્રેમાળ સ્વરૂપ જોઈ ત્યાં ઉભેલા અન્ય લોકો પણ પોલીસની આ કામગીરી બિરદાવી હતી





