[ad_1]

– એક વ્યક્તિને દંડો ફટકારીને માર માર્યો 4 સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી
નડિયાદ તાલુકાના દાવડામાં ધૂળેટીના પર્વ નિમિત્તે રાવણ કાઢવાની પ્રથા અનુસાર આખ્યાન ભજવવામાં આવ્યું હતું, જેમાં અશ્વિનભાઈ રાવણ બનેલા ભાઈને પકડવા જતા તેનો હાથ મુકેશભાઈને વાગતા ઝઘડો થયો હતો જેથી શાંતિલાલ અને બીજા બે ઈસમોએ અશ્વિન સાથે બોલાચાલી કરી ઝઘડો કરી ગડદા પાટુ માર માર્યો હતો. આ ઝઘડામાં મુકેશ લાકડીનો ડંડો લઈને અશ્વિને મારવા જતા નીચે નમી જતા માથામાં દડો વાગી જતા ઇજા થઇ હતી. જેથી અશ્વિનભાઇને ૧૦૮માં નડિયાદ સિવિલ હોસ્પિ.માં દાખલ કર્યા હતા. રામચંદ્ર ઉર્ફે મૂકો બળવંતભાઈ પરમારની ફરિયાદ આધારે મુકેશભાઈ રતિલાલ પરમાર, કિર્તીભાઈ રતિલાલ, રતિલાલ ગિરધરભાઈ તેમજ ઇશ્વરભાઇ ગિરધરભાઈ પરમાર સામે ગુનો નોંધી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
[ad_2]
Source link






