[ad_1]
મુંદરા,તા.૪
કચ્છમાં જમીનો પર ભુમાફિયાઓ કબ્જો કરી બેઠા છે બીજીતરફ સરકાર કંપનીઓને ગૌચરો ફાળવતી જતી હોવાથી પશુાધન ધરાવતા ગામડાઓ મુશ્કેલીમાં મુકાયા છે. આજે બાડાવાસીઓએ ગૌચર,વન્ય, ખરાબા જેવી જમીનો કંપનીઓને આપવા સામે સખ્ત વિરોધ નોંધાવ્યો હતો.
લોકોએ જણાવ્યું હતું કે, બાડા ગામમાં ૨૭૧૫ પશુાધન સામે માત્ર ૩૦૫ એકર જમીન છે , જે ત્રીજા ભાગની જ છે. સરકાર સૌ પ્રાથમ પશુાધન સામે ગૌચર નીમ કરે અને ત્યારબાદ જમીન વાધતી હોય તો જ કોઈ કંપનીને જમીન ફાળવે. જીએચસીએલ કંપનીને બાડામાં જમીન ફાળવવા મુદે લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. આ અંગે કલેકટરને અરજી આપી હતી. મહેસુલ વિભાગના પરિપત્ર મુજબ ઉદ્યોગોને ગોચર જમીન આપવામાં આવે તો તેટલી જ અન્ય જમીન ઉદ્યોગે ખરીદ કરીને પંચાયતને આપવાની રહેશે તાથા કંપની પાસેાથી એકવડી બજાર કિંમત સરકારમાં જમા કરાવવાની રહેશે. પરંતુ કચ્છમાં આ પરિપત્રનું કલેકટર પાલન કરાવી રહ્યા નાથી. આજદિન સુાધી કોઈ પંચાયતને આ જમીન મળી નાથી કે નાણા સરકારમાં જમા થયા નાથી. ત્યારે આવી કંપનીઓ પાસેાથી ગૌચર અને સાંથણીની જમીનો પરત મેળવીને પંચાયતોને સોંપણી કરવામાં આવે અને પછાત વર્ગ અને ગરીબ વર્ગને સાંથણીની જમીન આપવામાં આવે.ઉપરાંત આખા કચ્છમાં કોઈપણ ઉદ્યોગને ગૌચર આપતા પહેલા પશુાધન મુજબ જમીન નિમ કરવામાં આવે તેવીમાંગ કરાઈ હતી. જો કલેકટર આ મુદે પાલન નહીં કરાવે તો હાઈકોર્ટના દ્વાર ખખડાવાશે તેવી ચીમકી અપાઈ હતી.
[ad_2]
Source link






