[ad_1]
અમદાવાદ
કોરોનાને
લીધે છેલ્લા બે વર્ષમાં યુનિ.ઓની ફાઈનલ પરીક્ષાઓ ઓનલાઈન મોડમા લેવાઈ છે તેમજ મેરિટ
બેઝ પ્રમોશન આપવામા આવ્યા છે ત્યારે આઈઆઈએમ અમદાવાદે પોતાના મહત્વના બે વર્ષની
પીજી પ્રોગ્રામ એવા એમબીએમાં પ્રવેશ માટે નિયમોમાં ધરખમ ફેરફાર કરતા બેચલર
ડિગ્રીનુ માપદંડ જ દૂર કરી દીધુ છે.આ વર્ષે એમબીએમાં પ્રવેશ માટે વિદ્યાર્થીના
બેચલર ડિગ્રીના પરિણામને ધ્યાને જ લેવામા નહી આવે.આ વર્ષે માત્ર ધો.૧૦ ,૧૨
અને ઉમેદવારના વર્ક એક્સપીરિયન્સ અને કેટ સ્કોરને જ પ્રવેશ માટે ધ્યાને લેવાશે.
કોરોનાને
લીધે ઘણી યુનિ.ઓ યુજીમાં ફાઈનલ પરીક્ષાઓ યોગ્ય રીતે ન લઈ શકતા તેમજ ઘણી યુનિ.ઓએ
પાસ પ્રમોશનનું સર્ટિફિકેટ વિદ્યાર્થીઓને આપતા આઈઆઈએમમાં પ્રવેશ માટેની કેટના
એલિજિબિલીટી ક્રાઈટેરિયામાં કેટ કમિટીએ મોટો ફેરફાર કરતા બેચલર ડિગ્રીના મિનિમમ
પર્સેન્ટેજની જોગવાઈ દૂર કરી હતી.જેને પગલે આઈઆઈએમ અમદાવાદની એડમિશન કમિટી દ્વારા
પણ ૨૦૨૨-૨૪ના પીજીપી એમબીએ પ્રવેશ માટેના નિયમોમાં મહત્વનો ફેરફાર કર્યો છે.જે
મુજબ આ વર્ષે એમબીએ પ્રવેશ માટે ઉમેદવારની બેચલર ડિગ્રીના પરિણામને એડમિશન શોર્ટલિસ્ટિંગ
માટે ધ્યાને નહી લેવાય. વિદ્યાર્થીના બેચલર ડિગ્રીના પરિણામ વગર જ એકેડેમિક રેટિંગ સ્કોર તૈયાર કરાશે.
આ વર્ષની નવી
જાહેર કરાયેલી પ્રવેશ ફોર્મ્યુલા મુજબ ધો.૧૦,૧૨ અને ઉમેદવારના વર્ક
એક્સિપિરિયન્સને રેટિંગ સ્કોરમાં ધ્યાને લેવાશે અને જેનો સ્કેલ ૨૫ રાખવામા આવશે
પરંતુ પ્રો રેટા મુજબ ગત વર્ષની જેમ ૩૫ પોઈન્ટ જ ગણવામા આવશે. જેમાં ગત વર્ષની જેમ
બેચલર ડિગ્રીના માર્કસનુ કમ્પોનેન્ટ
ધ્યાને નહી લેવાય.જ્યારે વિદ્યાર્થીએ આપેલી કેટ પરીક્ષાના સ્કોરને ૬૫ ટકા
વેઈટેજ અપાશે. નવી ફોર્મ્યુલા મુજબ પ્રો
રેટેડ એકેડેમિક રેટિંગ સ્કોરના ૦.૩૫ અને
નોર્મલાઈઝડ ઓવરઓલ કેટ સ્કોરના ૦.૬૫ મુજબ કમ્પોઝિટ સ્કોર તૈયાર કરાશે.આમ આ વર્ષે
એમબીએ પ્રવેશ માટે બેચલર ડિગ્રીના ક્રાઈટેરિયાને જ દૂર કરી દેવાયો છે.જો કે
ઉમેદવારે ઈન્ટરવ્યુ સમયે યુનિ.નુ ડિગ્રી સર્ટિફિકેટ અથવા માર્કશીટ સર્ટિફિકેટ અથવા
યુનિ.-કોલેજમાંથી અપાયેલું પાસિંગ ઈકવીલેન્ટ
સર્ટિફિકેટ રજૂ કરવુ પડશે.
[ad_2]
Source link






