Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

અમદાવાદમાં પવન સાથે વરસાદી વાતાવરણથી જનજીવન પ્રભાવિત

On: December 2, 2021 10:51 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


અમદાવાદ,ગુરુવાર,2
ડિસેમ્બર,2021

અપરએર સરકયુલેશન સિસ્ટમને પગલે અમદાવાદ શહેરમાં ભર શિયાળે
વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો છે.સૂસવાટા મારતા ઠંડા પવન સાથે સતત ઝરમર વરસાદથી
શહેરીજનો ધુ્રજી ઉઠયા હતા.સાંજ પડતા જ ટ્રાફિકથી ધમધમતા શહેરના વિવિધ રસ્તાઆ ઉપરે
લોકો અને વાહનોની ચહલ પહલ ઓછી થઈ જતા સૂના થયેલા જોવા મળી રહ્યા હતા.ઝરમર વરસાદ
અને રસ્તા ઉપર પડેલી માટીના કારણે અનેક વિસ્તારોમાં ટુ વ્હીલર ચાલકો વાહનો સાથે
પડયા હોવાના પણ બનાવ બનવા પામ્યા હતા.અનેક વિસ્તારોમાં સવારના સુમારે ગાઢ ધુમ્મસના
કારણે વિઝિબિલીટી ઓછી થઈ હતી.હજુ બે દિવસ આ વાતાવરણ રહેવાની હવામાન વિભાગ દ્વારા
આગાહી કરવામાં આવી છે.

અમદાવાદમાં બુધવાર સવારથી જ વાતાવરણમાં પલ્ટો આવ્યો
હતો.ઘટાટોપ છવાયેલા વાદળો સાથે શહેરના અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસવાનું શરૃ
થયુ હતું.બુધવારે રાતભર અનેક વિસ્તારોમાં હળવો વરસાદ થયો હતો.કેટલાક વિસ્તારોમાં
તો સૂસવાટા મારતા ઠંડા પવન સાથે વરસાદ વરસતા લોકોને સ્વેટર
,શાલ સહિતના
વસ્ત્રો પહેરીને કામકાજ ઉપર જવાની ફરજ પડી હતી.ગુરુવારે પણ સવારથી મોડી રાત સુધી
ઝરમર વરસાદ ચાલુ રહેતા શહેરીજનો ઠંડીમાં ઠુંઠવાતા નજરે પડી રહ્યા હતા.

ભર શિયાળે અચાનક આવેલા વાતાવરણના પલ્ટાને પરિણામે વરસી
રહેલા ઝરમર વરસાદને કારણે એસ.જી.હાઈવે ઉપરાંત સેટેલાઈટ
,બોડકદેવ ઉપરાંત
પાલડી
,નવરંગપુરા
સહિતના અનેક વિસ્તારોમાં રસ્તાઓ માટીના કારણે ચીકણા બની જતા વાહનચાલકોને તેમના
વાહન ચલાવતી વખતે  ખુબ કાળજી રાખવી પડી
હતી.પૂર્વ અમદાવાદ સહિત પશ્ચિમ અને અન્ય વિસ્તારોમાં મેટ્રો રેલની ચાલી રહેલી
કામગીરીના કારણે એપ્રોચ રસ્તાઓ ઉપર રહેલી માટી અને વરસાદી પાણીના કારણે વાહન
ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.

સતત બે દિવસથી શહેરના વાતાવરણમાં આવેલા પલ્ટાને કારણે શહેરના
રાત્રિ ખાણી પીણી બજારોમાં પણ લોકોની સંખ્યા ઘટી જવા પામી હતી.લોકો ઝરમર વરસાદ અને
સૂસવાટા મારતા પવનોના વાતાવરણમાં મોડા સુધી બહાર ફરવા કરતા સાંજ થતા જ ઘરે પરત ફરવાનુ
યોગ્ય માનતા રાતે મોડા સુધી ટ્રાફિકની ચહલ પહલ સાથે ધમધમતા રસ્તાઓ રાતે આઠ સુધીમાં
જ સુના થયેલા જોવા મળી રહ્યા હતા.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!