Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

માઈગ્રેટરી બર્ડસને તળાવ સુધી ફરી ખેંચી લાવવાનો નાના બાળકોનો પુરુષાર્થ

On: November 12, 2021 8:44 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરાઃ શહેર નજીકના ભાયલી ગામના વણકરવાસમાં રહેતા અને ધોરણ ચારથી આઠમાં અભ્યાસ કરતા બાળકોનુ એક  ગુ્રપ વણકરવાસ પાસે આવેલા નાનકડા તળાવને જીવંત રાખવાનો પ્રયાસ કરી રહ્યુ છે.બાળકોના પ્રયત્નોના કારણે ગયા વર્ષે તળાવથી દુર થઈ ગયેલા માઈગ્રેટરી બર્ડ આ વર્ષે પાછા પણ આવી રહ્યા છે.

આ તળાવમાં ઠલવાતુ ગંદી પાણી અને કચરો દુર થાય તે માટે બાળકોએ વડોદરાના પર્યાવરણ પ્રેમી હિતાર્થ પંડયાની મદદથી છેલ્લા બેએક વર્ષથી તળાવની સફાઈનુ અભિયાન હાથ ધર્યુ છે.તળાવની સફાઈ કરવામાં આવે તે માટે બાળકો પોતે પ્રયત્ન કરવાની સાથે સાથે સંખ્યાબંધ વખત તંત્ર સમક્ષ રજૂઆત પણ કરી ચુકયા છે.આખરે તેમની રજૂઆત રંગ લાવી હતી અને  તંત્રે બે મહિના પહેલા મશિનરીની મદદથી તળાવની સફાઈ કરીને તેના પર ઉગેલી વનસ્પતિ દૂર કરી હતી.

તેમના મેન્ટર હિતાર્થ પંડયા કહે છે કે, અગાઉ શિયાળાના આગમન સાથે ૮૦ થી ૯૦  પ્રકારની પ્રજાતિના માઈગ્રેટરી બર્ડ આ તળાવમાં આવતા હતા.પણ ભારે ગંદકીના કારણે ગયા વર્ષે અહીંયા આવનારા પક્ષીઓની સંખ્યા નહીવત થઈ ગઈ હતી.જોકે તળાવની સફાઈ થઈ હોવાથી આ વર્ષે પક્ષીઓ મોટી સંખ્યામાં અહીંયા રોકાણ કરે તેમ લાગી રહ્યુ છે.કેટલાક પક્ષીઓના આવવાની શરુઆત થઈ ગઈ છે.

આ બાળકોને  વડોદરાના પક્ષી નિષ્ણાત ડો.રાહુલ ભાગવત, બોટનીના જાણકાર જિતેન્દ્ર ગવલી તેમજ જીવ જંતુ અને પતંગિયાના જાણકાર સુવર્ણ સોનવણે પણ પ્રશિક્ષણ આપી ચુકયા છે.બાળકો હવે પક્ષીઓની ફોટોગ્રાફી પણ કરે છે.તેમને ત્રણ કેમેરા પણ ગિફ્ટમાં મળ્યા છે.

પક્ષી નિષ્ણાત ડો.સલીમ અલીના જન્મ દિવસની ઉજવણી કરી 

ઘણા ચાહકો તેમના ફેવરિટ ક્રિકેટર કે સુપર સ્ટારના જન્મ દિવસની ઉજવણી કરતા હોય છે ત્યારે આજે શહેરના છેવાડે આવેલા ભાયલી ગામના વણકરવાસના ૧૦ જેટલા બાળકોએ દેશના જાણીતા પક્ષી નિષ્ણાત ડો.સલીમ અલીના જન્મ દિવસની ઉજવણી કરી હતી.આ બાળકો પક્ષીઓની ૧૦૦ જેટલી પ્રજાતિઓની ઓળખ આસાનીથી કરી શકે છે.આજે તેમણે દેશના ટોચના પક્ષી વિદ્માં સ્થાન પામતા ડો.સલીમ અલીના જન્મ દિવસની કેક કાપીને ઉજવણી કરી હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!