સી આર પાટીલ ને વિન્નતી કે વાપી થી નાનાપોઢા થઈ ને ધરમપુર આવજો એટલે લોકોને સ્પર્શતી પ્રાથમિક સમસ્યા તમને પણ ઉડી ને આંખે વળગે ..

On: November 12, 2021 11:55 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

14 તારીખના રોજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ધરમપુર ના બરૂમાલ ખાતે હાજરી આપવા આવનાર છે ત્યારે એમને નમ્ર વિનંતી છે કે પ્રજા લક્ષી હિતમાં તમારી સરકાર લોકોના પ્રશ્નો દૂર કરતી આવી હોય તો ગત ચોમાસા દરમ્યાન નેશનલ હાઇવે 56 નાનાપોઢા થી ધરમપુર સુધીના માર્ગ નું સમારકામ થયું નથી ચોમાસુ પૂર્ણ થયા બાદ દિવાળી વીતી છતાં અહીં હાઇવે ઓથોરિટીઇના અધિકારી ના પેટ નું પાણી હાલતું નથી જેને કારણે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે ખાડા ધૂળ ની ડમરીઓ થી રોજના લોકો ધરમપુર થી છેક કુરગામ ફાટક લાકડમાલ સુધીનો માર્ગ માં મસ મોટા ખાડા પડી ચુક્યા છે એક હાઇવે ઉપર આ પ્રમાણે પડેલા ખાડા એ શરમજનક  કહી શકાય પરંતુ મૂળ વાત એ છે કે જ્યારે પણ કોઈ મંત્રી સંત્રી આવે ત્યારે તેમના સ્વાગત માં આવા ખાડા રાતોરાત પુરી દેવામાં આવે છે એટલે જાહેર જનતા ની માંગ છે કે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ આપ શ્રીં વલસાડ થી નહીં પરંતુ વાપી નાનાપોઢા થઈ ને ધરમપુર પધારો જેથી કરી સ્થાનિક નેતાઓ જેઓ રોજિંદા આ માર્ગ ઉપર થી જવા છતાં ધૂતરાષ્ટ્ર બની બેઠા છે એમને કમસે કમ શરમ જનકતા નો એક એહસાસ થશે અને આગામી સમય માં ચૂંટણી પણ આવી રહી છે સરપંચ ની તો એવા સમયે રોડ ખરાબ હશે તો તેની સીધી અસર મતદાન ઉપર થશે એ વાત નક્કી છે એટલે લોકો ની માંગ છે કે સી આર પાટીલ સાહેબ ધરમપુર પધારો તો વાપી નાનાપોઢા થઈ ને પધારો જેથી આપના આવવા થી રાતોરાત રોડ તો બની જશે ..અને લોકો ને અનાયાસે ફાયદો થશે …

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!