ભારત તીબ્બત સંઘ જામનગર દ્વારા અતિથિ દેવો ભવ: સૂત્રને સાર્થક કરતાં તિબેટીયનોનું સ્વાગત કરાયું

On: October 28, 2021 6:30 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– સંઘની મહિલાઓએ વેપાર અર્થે આવેલા તિબેટીયનોનું કંકુ તિલક કરી ભારતીય પરંપરા મુજબ સ્વાગત કર્યું

જામનગર,તા.28 ઓક્ટોબર 2021,ગુરૂવાર

ભારત તીબ્બત સંઘ-જામનગર દ્વારા પ્રતિવર્ષ શિયાળાની ઋતુમાં વેપાર અર્થે જામનગરના અતિથિ બનતા મૂળ તિબેટીયન પરિવારનું ભારતીય સંસ્કૃતિ અને પરંપરા મુજબ સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું.

ભારત તીબ્બત સંઘ મહિલા વિભાગ જામનગર જિલ્લા અધ્યક્ષ ડીમ્પલબેન રાવલ તેમજ સંઘના અન્ય બહેનો દ્વારા શહેરના રાધાકૃષ્ણ મંદિર નજીક મૂળ તિબેટીયનોની લ્હાસા માર્કેટમાં તિબેટીયનોને કુમકુમ તિલક, પુષ્પગુચ્છ અને મોં મીઠા કરાવી સ્વાગત અભિવાદન કરાવ્યુ હતું.

ચીનના અતિક્રમણથી પોતાનો ધર્મ અને સંસ્કૃતિ બચાવવા ભારતના આશ્રયમાં રહેતા મૂળ તિબેટીયનો હર હંમેશ ભારતીય સંસ્કૃતિ સાથે હળીમળીને રહે છે, ભારત તીબ્બત સંઘ દ્વારા તીબ્બતની ચીન પાસેથી મુક્તિ અને કૈલાશ માન સરોવર ભારતને મળી જાય તે માટેના પ્રયાસો કરવામાં આવે છે.

નગરના અતિથિ બનેલા તિબેટીયન ભાઈ બહેનોને ભારત તીબ્બત સંઘ શહેર –જિલ્લા મહિલા વિભાગ દ્વારા સ્વાગત અભિવાદન કાર્યક્રમમાં જિલ્લા અધ્યક્ષ ડીમ્પલબેન રાવલ, પૂર્ણિમાબેન પંડ્યા, પાયલબેન શર્મા, નીલમબેન ગઢવી, પારૂલબેન, દિષિતાબેન, ઇલાબેન, મીનાક્ષીબેન તેમજ ભારતિબેન, વિણાબેન પાઠક જલ્પાબેન, આશાબેન, રીટાબેન ઝીંઝુવાડિયા અને યુવા વિભાગ પ્રાંત કર્મભાઈ ઢેબર વિગેરે દ્વારા ભારતીય સંસ્કૃતિ અને પરંપરા મુજબ સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

Ajay’s Cafe ફૂડથી આગળ વધીને ચેસ દ્વારા પણ ફેલાવી રહ્યું છે ‘હેપ્પી વાલી ફીલિંગ’

કપરાડાની પૂજ્ય મોટા હાઈસ્કૂલ(માની)ના તેજસ્વી વિદ્યાર્થીઓએ કર્યો હવાઈ પ્રવાસ, દ્વારકાધીશના દર્શનનો મળ્યો લ્હાવો

ક્યાં એક તરફ મોંઘી દાટ મર્સીડીઝ કાર માં નીકળતી વર યાત્રા ને ક્યાં સંસ્કૃતિ ને બચાવવાં માટે નીકળતી બળદ ગાડાં માં નીકળેલી જાન.નો ઠાઠ..

પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત 19 જૂને રાષ્ટ્રીય કાર્યક્રમ, વાપીમાં રાજુ શ્રોફ ઓડિટોરિયમ ખાતે યોજાશે વિશેષ કાર્યક્રમ

ધરમપુર વિલ્સન હિલ ખાતે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ અને આદિજાતિ વિકાસ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે વૃક્ષારોપણ કરાયું

ધરમપુર આસપાસની નદીઓમાં બેફામ રેતી ખનન સામે કાર્યવાહી, માત્ર ચાર ટ્રક જપ્ત થતા અનેક સવાલો

error: Content is protected !!